માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં ભવ્ય કાશી દિવ્ય કાશી અંતર્ગત કાલે બાઈક રેલી-કળશયાત્રા તેમજ લાઇવ સ્કીનનું આયોજન


SHARE

















મોરબીમાં ભવ્ય કાશી દિવ્ય કાશી અંતર્ગત કાલે બાઈક રેલી-કળશયાત્રા તેમજ લાઇવ સ્કીનનું આયોજન

'ભવ્ય કાશી દિવ્ય કાશી' માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રણ લીધુ હતું કે કાશી વિશ્વનાથ મહાદેવના જ્યોતિર્લિંગના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરીને વિશ્વભરમાં વસતા શિવભક્તો માટે વિશાળ કોરિડોર બનાવવામાં આવે ત્યારે આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ પૂર્ણ થતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા આવતી કાલ તા.૧૩-૧૨ ના રોજ સવારે ૧૧ કલાકે કાશી વિશ્વનાથ બાબાના આર્શીવાદથી આ ભવ્ય કોરિડોર દેશને સમર્પિત કરશે.તે અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા મોરબી ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત તા.૧૩ ના સવારે ૧૦ વાગ્યે યુવા ભાજપની ટીમ દ્રારા ભવ્ય બાઈક રેલી યોજાશે આ રેલી નરસંગ ટેકરી મંદિરથી સ્વાગત હોલ ખાતે ત્યાંથી કેનાલ રોડ થઇને ઉમિયા સર્કલથી સનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલના સ્ટેચ્યૂ ખાતે અને ત્યાંથી પરત નરસંગ ટેકરી મંદિર ખાતે પૂર્ણ થશે ત્યારબાદ

તેમજ સવારે ૧૦ કલાકે મહીલા ભાજપની ટીમ દ્રારા કળશયાત્રા યોજાશે.બાદમાં કાશી ખાતે પીએમ મોદી જીર્ણોદ્ધાર બાદના નવનિર્મીત કાશી વિશ્વનાથ મહાદેવના જ્યોતિર્લિંગના પ્રાચીન મંદિરને જનતાને સમર્પીત કરવાના છેતે લાઈવ કાર્યક્રમ તા.૧૩-૧૨ ને સોમવારે સવારે ૧૧ કલાકે યોજાનાર છે તે લાઇવ કાર્યક્રમ લોકો નિહાળી શકે તે માટે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા તેમજ જીલ્લા ભાજપની ટીમ દ્રારા નરસંગ મંદિર રવાપર રોડ ખાતે લાઇવ કાર્યક્રમ જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ જીલ્લા ભાજપ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મહામંત્રી જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ અને રણછોડભાઈ દલવાડી તથા જિલ્લા ભાજપની ટીમ તેમજ યુવા-મહીલા ભાજપ ટીમ દ્રારા જહેમત ઉઠાવનામાં આવી રહી છે.




Latest News