માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર ગામે સગીરાના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













ટંકારાના જીવાપર ગામે સગીરાના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના જીવાપર ગામમાં વર્ષ ૨૦૦૦ માં અપહરણનો બનાવ બનેલ હતો જે ગુનામાં આરોપી રમેશ ઉર્ફે રાણા ધનજીભાઈ સંગાડને મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે દ્વારા આજીવન કેદની શિક્ષાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

ટંકારા પોલીસ મથકે જીવાપર ગામે બનેલ અપહરણના બનાવની પોલીસ ફરિયાદ થયેલ હતો અને વર્ષ ૨૦૦૦ માં ભોગ બનનાર ઉમર 16 વર્ષની હતી અને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી ભોગ બનનારનું અપહરણ કરવામાં આવેલ છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી જેથી આઇપીસીની કલમ ૩૬૩,૩૬૬ અને ૩૭૬ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો અને આ ગુન્હામાં આરોપી રમેશ ઉર્ફે રાણા ધનજીભાઈ સંગાડની ધરપકડ કરી હતી અને તેની સામે વર્ષ ૨૦૨૨ માં ચાર્જશીટ ફાઇલ કરેલ હતી અને આ કેસ મોરબીના એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી રમેશ ઉર્ફે રાણા ધનજીભાઈ સંગાડને તા.૧-૧૦-૨૫ ના રોજ આજીવન કેદની શિક્ષાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે ગુનાના કામે મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મોરબી જીલ્લાના યુવા એડ્વોકેટ ધ્રુવીલ ભીમાણી, જયદીપ જે. ઘોડાસરા, તથા નિકીતા વી.વામજા દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ હતી અને એડ્વોકેટની દલીલો તથા લેન્ડમાર્ક જજમેન્ટને ધ્યાને લઈ અદાલત દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરેલ છે.






Latest News