કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનને લગતી ઝારખંડના મુખ્યમંત્રીએ કરેલ પોસ્ટ બાબતે કોથળામાંથી બિલાડું નીકળ્યું !


SHARE











મોરબીના સિરામિક કારખાનને લગતી ઝારખંડના મુખ્યમંત્રીએ કરેલ પોસ્ટ બાબતે કોથળામાંથી બિલાડું નીકળ્યું !

મોરબીના સિરામિક કારખાનામાં ઝારખંડના શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી પોસ્ટ ઝારખંડના મુખ્યમંત્રીએ સોશ્યલ મીડિયા ઉપર કરી હતી જેથી પોલીસ દોડતી થયેલ હતી અને તપાસના અંતે કોથળામાંથી બિલાડું નીકળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. અને જે શ્રમિકોને ગોંધી રાખવામા આવેલ હોવાનું વાત હતી તે શ્રમિકોને કોન્ટ્રાકટર પાસેથી પગાર ન મળ્યો હોવાનું સામે આવ્યું છે.

ઝારખંડના સિંહભુમ જીલ્લાના 13 શ્રમિકોને મોરબીના બેલા ગામ પાસે એજીલીસ કારખાનામાં કામ કરતા હોય પગાર ન આપીને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી ઝારખંડ મુખ્યમંત્રી હેમંત સોરેનને સોશ્યલ મીડિયા પોસ્ટ કરી હતી અને તુતજ પગલાં લેવા માટે કહ્યું હતું આ બાબત મોરબી તાલુકા પોલીસની ટીમને ધ્યાને આવી હતી જેથી પોલીસે એજીલીસ કારખાને પહોચી હતી. અને ત્યાં તપાસ કરતાં તેવી માહિતી સામે આવી હતી કે, શ્રમિકોને કોન્ટ્રાકટર દ્વારા પગાર આપવામાં આવ્યો નથી જેથી કરીને આ તપાસ દરમ્યાન કોથળામાંથી બિલાડું નીકળ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. વધુમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોઝભાઈ સુમરાએ જણાવ્યુ હતું કે, ઝારખંડથી 13 શ્રમિકો કામ કરવા માટે આવ્યા હતા અને તેઓને એક મહિનો પૂરો થયો ન હતો જો કે, તેને 12થી 15 દિવસનો પગાર લેવાનો બાકી છે અને તે પગાર તેઓને કોન્ટ્રાકટરે પગાર આપવાનો છે જો કે, કામ આવી જવાથી કોન્ટ્રાકટર વતનમાં ગયો છે જે પરત આવીને પગાર આપી દેશે તેવુ જણાવ્યુ છે.






Latest News