મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ યોજાયો
SHARE







મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ યોજાયો
મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે અને તેનો દ્વિતીય પાટોત્સવ શનિવારે યોજાશે હતો જેમાં એસટીના જુના નિવૃત થયેલા 200 થી વધારે કર્મચારીઓ આવ્યા હતા. મોરબી ડેપો એસટી પરિવાર દ્વારા શનાળા રોડે આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે અંબાજી માતાજીનું મંદિર આવેલ છે તેના દ્વિતીય પાટોત્સવને ઉજવવાનું આયોજન કર્યું હતું અને શનિવારે સવારે 8:30 કલાકે યજ્ઞ શરૂ થયો હતો અને બપોરે 3:30 કલાકે પુર્ણાહુતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ મહાપ્રસાદ યોજાયો હતો જેમાં મોરબી ડેપોમાંથી નિવૃત થયેલ એસટી ડેપો પરિવારના 200 થી વધુ કર્મચારીઓ તેમજ હાલના કર્મચારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.
