માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી પાંજરાપોળની જગ્યામાં કોઈપણ ટ્રસ્ટી સ્વયં નિર્ણયથી કોઈપણ કાર્ય કરે તો ટ્રસ્ટી મંડળ જવાબદાર રહેશે નહી


SHARE













મોરબી પાંજરાપોળની જગ્યામાં કોઈપણ ટ્રસ્ટી સ્વયં નિર્ણયથી કોઈપણ કાર્ય કરે તો ટ્રસ્ટી મંડળ જવાબદાર રહેશે નહી

મોરબીમાં વર્ષોથી કાર્યરત પાંજરાપોળના ટ્રસ્ટી ગણ દ્વારા એક જાહેર ખુલાસો કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે, મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળના કોઈપણ ટ્રસ્ટી દ્વારા સ્વયં નિર્ણયથી કોઈ પણ કાર્ય મોરબી પાંજરાપોળ ખાતે કરવામાં આવે તો તેના માટે શ્રી મોરબી પાંજરાપોળનું ટ્રસ્ટ મંડળ કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહીં.

મોરબી પાંજરાપોળ ખાતે લગભગ 6200 જેટલા અબોલજીવનો નિભાવ કરવામાં આવે છે અને મોરબીના ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી તેના માટે આર્થિક દાન આપવામાં આવે છે તે ઉપરાંત પાંજરાપોળની જગ્યામાં ઘાસચારાનું વાવેતર કરીને ગાયોના ચારાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જોકે, મોરબી પાંજરાપોળ દ્વારા એક જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળના કોઈપણ ટ્રસ્ટી દ્વારા સ્વયં નિર્ણય કરીને કોઈ કાર્ય મોરબી પાંજરાપોળ ખાતે કરવામાં આવે તો તેના માટે મોરબી પાંજરાપોળનું ટ્રસ્ટી મંડળ કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહીં જોકે આ નિર્ણયને લઈને ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે કે આ પ્રકારનો નિર્ણય લેવાની મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળને શા માટે ફરજ પડી છે. 






Latest News