વાંકાનેરના ગાંગિયાવદર ગામે અગાઉ રૂપિયાની લેતી દેતી માટે થયેલ ઝઘડાનો ખાર રાખીને આધેડને ત્રણ શખ્સોએ મારમાર્યો હળવદમાં નશાની હાલતમાં દારૂની બોટલ સાથે કારમાંથી ત્રણ શખ્સ પકડાયા: માળીયા (મી)ના નવા હંજીયાસર પાસેથી 600 લિટર આથા સાથે એક પકડાયો ટંકારાના નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકાનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરની છત ઉપર સૂતેલા શ્રમિકોના ચાર મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ પકડાયા મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો
Breaking news
Morbi Today

મોરબી પાંજરાપોળની જગ્યામાં કોઈપણ ટ્રસ્ટી સ્વયં નિર્ણયથી કોઈપણ કાર્ય કરે તો ટ્રસ્ટી મંડળ જવાબદાર રહેશે નહી


SHARE













મોરબી પાંજરાપોળની જગ્યામાં કોઈપણ ટ્રસ્ટી સ્વયં નિર્ણયથી કોઈપણ કાર્ય કરે તો ટ્રસ્ટી મંડળ જવાબદાર રહેશે નહી

મોરબીમાં વર્ષોથી કાર્યરત પાંજરાપોળના ટ્રસ્ટી ગણ દ્વારા એક જાહેર ખુલાસો કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે, મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળના કોઈપણ ટ્રસ્ટી દ્વારા સ્વયં નિર્ણયથી કોઈ પણ કાર્ય મોરબી પાંજરાપોળ ખાતે કરવામાં આવે તો તેના માટે શ્રી મોરબી પાંજરાપોળનું ટ્રસ્ટ મંડળ કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહીં.

મોરબી પાંજરાપોળ ખાતે લગભગ 6200 જેટલા અબોલજીવનો નિભાવ કરવામાં આવે છે અને મોરબીના ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી તેના માટે આર્થિક દાન આપવામાં આવે છે તે ઉપરાંત પાંજરાપોળની જગ્યામાં ઘાસચારાનું વાવેતર કરીને ગાયોના ચારાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જોકે, મોરબી પાંજરાપોળ દ્વારા એક જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળના કોઈપણ ટ્રસ્ટી દ્વારા સ્વયં નિર્ણય કરીને કોઈ કાર્ય મોરબી પાંજરાપોળ ખાતે કરવામાં આવે તો તેના માટે મોરબી પાંજરાપોળનું ટ્રસ્ટી મંડળ કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહીં જોકે આ નિર્ણયને લઈને ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે કે આ પ્રકારનો નિર્ણય લેવાની મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળને શા માટે ફરજ પડી છે. 




Latest News