મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામ પાસે કારખાના નજીકથી યુવાનની લાશ મળી: વાંકાનેરની કુંભારપરામાં યુવાને જીવન ટુકાવ્યું


SHARE











ટંકારાના હીરાપર ગામ પાસે કારખાના નજીકથી યુવાનની લાશ મળી: વાંકાનેરની કુંભારપરામાં યુવાને ઘરમાં કર્યો આપઘાત

ટંકારાના હીરાપર ગામની સીમમાં આવેલ તથાસ્તુ કારખાનાથી આગળના ભાગમાં કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે અને વીસેરા લઈને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જયારે વાંકાનેરની કુંભાર પરા શેરીમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે બનાવની પોલીસ નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં આવેલ તથાસ્તુ કારખાનાની ઓરડીમાં રહેતો મૈયાદિન રામઆસરે ગૌતમ (40) નામનો યુવાન તથાસ્તુ કારખાનાથી આગળના ભાગમાં ટંકારા જવાના જુના રસ્તે કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ફોરેન્સિક પીએમ માટે તેની લાશને રાજકોટ લઈ જવામાં આવી છે અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા લેવામાં આવશે અને આ બનાવ અંગેની આશિષભાઈ સુરેશકુમાર કોળી (21) રહે. હાલ તથાસ્તુ કારખાનાની ઓરડીમાં હીરાપર તાલુકો ટંકારા મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

વાંકાનેર શહેરમાં આવેલ કુંભાર પરા શેરી નંબર ત્રણમાં રહેતા અબ્દુલરજાકશા મહેમુદશા કાદરી (37)કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી






Latest News