મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામ પાસે કારખાના નજીકથી યુવાનની લાશ મળી: વાંકાનેરની કુંભારપરામાં યુવાને જીવન ટુકાવ્યું


SHARE













ટંકારાના હીરાપર ગામ પાસે કારખાના નજીકથી યુવાનની લાશ મળી: વાંકાનેરની કુંભારપરામાં યુવાને ઘરમાં કર્યો આપઘાત

ટંકારાના હીરાપર ગામની સીમમાં આવેલ તથાસ્તુ કારખાનાથી આગળના ભાગમાં કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે અને વીસેરા લઈને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જયારે વાંકાનેરની કુંભાર પરા શેરીમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે બનાવની પોલીસ નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં આવેલ તથાસ્તુ કારખાનાની ઓરડીમાં રહેતો મૈયાદિન રામઆસરે ગૌતમ (40) નામનો યુવાન તથાસ્તુ કારખાનાથી આગળના ભાગમાં ટંકારા જવાના જુના રસ્તે કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ફોરેન્સિક પીએમ માટે તેની લાશને રાજકોટ લઈ જવામાં આવી છે અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા લેવામાં આવશે અને આ બનાવ અંગેની આશિષભાઈ સુરેશકુમાર કોળી (21) રહે. હાલ તથાસ્તુ કારખાનાની ઓરડીમાં હીરાપર તાલુકો ટંકારા મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

વાંકાનેર શહેરમાં આવેલ કુંભાર પરા શેરી નંબર ત્રણમાં રહેતા અબ્દુલરજાકશા મહેમુદશા કાદરી (37)કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી






Latest News