મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની ફેકટરીમાંથી કાઢી મુકાયેલ અસ્થિર મગજના મજુરને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે વતન પહોંચાડયો


SHARE











મોરબીની ફેકટરીમાંથી કાઢી મુકાયેલ અસ્થિર મગજના મજુરને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે વતન પહોંચાડયો

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા એક ખોવાયેલ ફસાયેલ થોડા અસ્થિર મગજના મજુરને તેના દેશ ઓડીસા રાજ્યના ભુવનેશ્વર તાલુકાના ગામડામાં પોહચાડવામાં આવ્યો હતો.

ચાર દિવસ પહેલા હળવદમાં તે ભાઇ અહીંતહીં એકલો ફરતો હતો અને તેની જાણ રવિ ઠાકોર દ્વારા ગૃપને થઈ ત્યારબાદ તેના પાસે રૂબરૂ જઇને તેની પાસેથી વિગતો જાણી ત્યારે તે કામ કરવા મોરબી કોઇ ફેક્ટરીમાં આવ્યો હતો અને તેનો મગજ થોડો અસ્થિર થઈ જવાથી તેના ફેક્ટરી માલિક દ્વારા તેને કાઢી મુક્યો હતો..! અને પછી તે રખડતા ભટકતા હળવદ આવે પહોંચ્યો હતો.તેની પાસે કોઇપણ ડોક્યુમેન્ટ ન હતા અને પૈસા પણ ન હતા ઓઢવાનુ પણ કાંઇ ન હતુ જેથી ગૃપને જાણ થતા જ પહેલા તો તેના જમવાની સગવડ રહેવાની સગવડ બાપા સિતારામ મઢુલીએ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેને ઘર સુધીની તાપસ કરી માહિતી પ્રાપ્ત કરીને તેને ટ્રેન ટિકિટ કરી દેવામાં આવી અને હળવદથી સામખીયારી બસમાં અને ત્યાંથી રાતે ૧૨ વાગ્યે ટ્રેન હતી તે ટ્રેનમાં બેસાડી દેવામાં આવ્યો અને પછી તેના ઘર પહોંચ્યો છે કે નહી તેનો કોઇ ભરોસો ન હતો પણ હાલ અત્યારે જ તેના પરિવારમાંથી ફોન આવ્યો કે તેમનો દિકરો ઘર આવી ગયો છે. ત્યારે ફ્રેન્ડસ ગૃપનું માનવતાવીદી કામ સફળતાપુર્વક પૂર્ણ થયુ હતુ.ગૃપે મોરબીના ઉધોગકારો જોગ અપીલ કરી છેકે બહારના રાજયોમાંથી પરિવાર માટે પેટીયુ રળવા માટે આવતા કોઇપણ વ્યક્તિને આવી રીતના કાઢી ન મુકવો જોઇએ. મગજ અસ્થિર હોય તો પણ ફેક્ટરી માલિક તરીકે માનવતા દાખવીને તેના પરિવારને જાણ કરીને લઈ જવાનુ કેહવુ જોઇએ.

 






Latest News