મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીની ફેકટરીમાંથી કાઢી મુકાયેલ અસ્થિર મગજના મજુરને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે વતન પહોંચાડયો


SHARE









મોરબીની ફેકટરીમાંથી કાઢી મુકાયેલ અસ્થિર મગજના મજુરને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે વતન પહોંચાડયો

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા એક ખોવાયેલ ફસાયેલ થોડા અસ્થિર મગજના મજુરને તેના દેશ ઓડીસા રાજ્યના ભુવનેશ્વર તાલુકાના ગામડામાં પોહચાડવામાં આવ્યો હતો.

ચાર દિવસ પહેલા હળવદમાં તે ભાઇ અહીંતહીં એકલો ફરતો હતો અને તેની જાણ રવિ ઠાકોર દ્વારા ગૃપને થઈ ત્યારબાદ તેના પાસે રૂબરૂ જઇને તેની પાસેથી વિગતો જાણી ત્યારે તે કામ કરવા મોરબી કોઇ ફેક્ટરીમાં આવ્યો હતો અને તેનો મગજ થોડો અસ્થિર થઈ જવાથી તેના ફેક્ટરી માલિક દ્વારા તેને કાઢી મુક્યો હતો..! અને પછી તે રખડતા ભટકતા હળવદ આવે પહોંચ્યો હતો.તેની પાસે કોઇપણ ડોક્યુમેન્ટ ન હતા અને પૈસા પણ ન હતા ઓઢવાનુ પણ કાંઇ ન હતુ જેથી ગૃપને જાણ થતા જ પહેલા તો તેના જમવાની સગવડ રહેવાની સગવડ બાપા સિતારામ મઢુલીએ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેને ઘર સુધીની તાપસ કરી માહિતી પ્રાપ્ત કરીને તેને ટ્રેન ટિકિટ કરી દેવામાં આવી અને હળવદથી સામખીયારી બસમાં અને ત્યાંથી રાતે ૧૨ વાગ્યે ટ્રેન હતી તે ટ્રેનમાં બેસાડી દેવામાં આવ્યો અને પછી તેના ઘર પહોંચ્યો છે કે નહી તેનો કોઇ ભરોસો ન હતો પણ હાલ અત્યારે જ તેના પરિવારમાંથી ફોન આવ્યો કે તેમનો દિકરો ઘર આવી ગયો છે. ત્યારે ફ્રેન્ડસ ગૃપનું માનવતાવીદી કામ સફળતાપુર્વક પૂર્ણ થયુ હતુ.ગૃપે મોરબીના ઉધોગકારો જોગ અપીલ કરી છેકે બહારના રાજયોમાંથી પરિવાર માટે પેટીયુ રળવા માટે આવતા કોઇપણ વ્યક્તિને આવી રીતના કાઢી ન મુકવો જોઇએ. મગજ અસ્થિર હોય તો પણ ફેક્ટરી માલિક તરીકે માનવતા દાખવીને તેના પરિવારને જાણ કરીને લઈ જવાનુ કેહવુ જોઇએ.

 






Latest News