મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ઢૂવા નજીક તાપણામાં દાઝેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીના ઢૂવા નજીક તાપણામાં દાઝેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ઢુવા નજીક આવેલ સનહાર્ટ સીરામીકમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા સુકુતીબેન સુભાષભાઈ બહેરા નામની ૪૮ વર્ષીય મહિલાને દાજી ગયેલી હાલતમાં ગત તા.૩-૧૨ ના રોજ ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન ખુલ્યુ હતું કે ઓરડી નજીક ઠંડીના લીધે તાપણુ કરવામાં આવેલ હોય અને સુકાતીબેન બહેરા ત્યાં કચરો વાળી રહ્યા હતા તે દરમિયાન તેઓના કપડાંને તાપણાની જાળ લાગી જતાં તેઓ દાઝી ગયા હતા અને જેથી કરીને તેઓને સારવારમાં અહીંની ક્રિષ્ના હોસ્પીટલે ખસેડાયા હતા.છેલ્લા દસેક દિવસથી સુકાતીબેન બહેરા સારવારમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે હતી અને ગઈકાલ તા.૧૨ ના રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન સુકુતીબેન સુભાષ બહેરા નામની ૪૮ વર્ષીય મજુર મહિલાનું મોત નિપજયું હોવાનું હાલ જાણવા મળેલ છે.બનાવ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં એ ડીવીઝન પોલીસે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા આગળની તજવીજ હાથ ધરી છે.

કાર-બાઇક અકસ્માતમાં બેને ઈજા

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર રહેતા સજજનભાઈ રામલખનભાઈ ભાગેલ (૩૫) અને દીપક વશરામ બાઘેલ (૨૧) નામના બે યુવાનો બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત સજજનભાઇ અને દીપકભાઈને અત્રેની સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

પોરબંદરના દેગામ ખાતે રહેતો કરણ નેભાભાઇ ઓડેદરા નામના ૧૯ વર્ષીય યુવાનને એ.કે.હોટલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો. જયારે હળવદના ટીકર રણમાં રહેતા અજુબાઈ સંધિ નામના ૮૮ વર્ષીય વૃદ્ધા બાઇકમાં જતા હતા તે દરમિયાન રસ્તામાં બાઇકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત અજુબાઈને અહીં આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News