મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી :  માળીયાના ખીરઇ ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં મોત


SHARE













મોરબી :  માળીયાના ખીરઇ ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં મોત

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામના પાટિયા પાસે આગલા દિવસે મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પગપાળા રસ્તો ઓળંગી રહેલા એમપીના આદીવાસી મજુર યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

બનાવની માળીયા મીંયાણા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખીરઇ ગામના પાટિયા પાસે તા.૧૨-૧૨ ના રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં રસ્તો ઓળંગી રહેલા નાહરીયાભાઈ મેસુભાઈ સિંગાળા (ઉમર ૪૦) રહે.હાલ નાગડાવાસ ગામના પાટિયા પાસે મૂળ રહે. માતાસુલા મત્સુલા ગામ તાલુકો રાનપુર મધ્યપ્રદેશ વાળાને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને ગંભીર ઇજાઓ થવાથી નાહપીયાભાઈ સિંગાલાનું મોત નિપજયુ હતુ.બનાવ સંદર્ભે મૃતકના સાળા અર્જુનભાઈ લાભુભાઈ ગણાવા ભીલ (૧૯) ધંધો મજૂરી હાલ રહે.નાગડાવાસના પાટીયા પાસે માળીયા મીંયાણા મૂળ સીમાખેડી ગણાવા ફળીયુ રાનપુર જાંબુવા એમપી વાળાએ માળીયા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાવતાં પીએસઆઇ એન.એચ.ચુડાસમાએ ફરિયાદ નોંધીને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને શોધવા સીસીટીવી ફુટેજ મેળવવા સહિત તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

વાહન અકસ્માત

હળવદના ટીકર ગામે રહેતા હંસાબેન શંકરભાઈ હડીયલ નામની ૨૪ વર્ષીય મહિલા ઘનશ્યામપુર રોડ ઉપરથી જતી હતી ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News