મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળીની પૂર્ણાહુતી પ્રસંગે મહાપ્રસાદ યોજાયો


SHARE











મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળીની પૂર્ણાહુતી પ્રસંગે મહાપ્રસાદ યોજાયો

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા મોરબીના જલારામ ધામ ખાતે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે.ત્યારે સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે મોરબીના માતુશ્રી જશવંતીબેન પ્રતાપરાય મહેતા પરિવાર દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાયો હતો.આ પ્રસંગે જતીનભાઈ મહેતા, જયેશભાઈ ટોળીયા, જતીનભાઈ શેઠ, ચેતનભાઈ શેઠ, હેતભાઈ શેઠ સહીતના જૈન સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે મહાપ્રસાદ પિરસી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.

મોરબીના મહેતા પરિવારના આ પ્રેરણાદાયી કાર્ય બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, કીશોરભાઈ ચંડીભમર, નિરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, સંજયભાઈ હીરાણી, અનિલભાઈ ગોવાણી, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, અમિતભાઈ પોપટ, હીતેશભાઈ જાની, વિપુલભાઈ પંડીત સહીતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News