મોરબીમાં જલારામ જયંતીની શોભાયાત્રાની તૈયારી માટે મંગળવારે મિટિંગ યોજાશે
SHARE







મોરબીમાં જલારામ જયંતીની શોભાયાત્રાની તૈયારી માટે મંગળવારે મિટિંગ યોજાશે
મોરબીમાં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ (2025) દ્વારા જલારામ જયંતીની શોભાયાત્રા સંદર્ભે ૧૪ મી તારીખે મોરબી લોહાણા સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તા. 29 ઓક્ટોબરને બુધવાર ના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપા ની શોભાયાત્રા તેમજ દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાને લઇને મોરબીના રઘુવંશી પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ આયોજનને નિખારવા માટે જ્ઞાતિબંધુઓની સાથે ચર્ચા ગોષ્ટીરૂપે મોરબી રઘુવંશી સમાજની મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મિટિંગ તા. 14મી ઓક્ટોબરને મંગળવાર ના રાત્રે 9-30 કલાકે મોરબી ના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે. આ મિટિંગમાં લોહાણા સમાજની તમામ સંસ્થાઓ, તમામ હોદેદારો, મહિલા સંગઠનો, સમાજ શ્રેષ્ટીઓ, વેપારી મિત્રો તેમજ કમિટી મેમ્બર્સ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ એ આમંત્રણ પાઠવ્યું છે.
