તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી


SHARE











વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકોને વીજ કનેક્શનનો જે પ્રશ્ન હતો તે ઉકેલીને આજે એકી સાથે 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. અને એક જ દિવસમાં મોરબીમાં 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યો હોય તે પણ એક નવો ઇતિહાસ બની ગયો છે.

વિકાસ સપ્તાહ અંતર્ગત જુદી જુદી જગ્યા ઉપર જુદા જુદા કાર્યક્રમો યોજાય છે ત્યારે મોરબીની આસપાસમાં જે વાડી વિસ્તાર આવેલ છે જ્યાં સતવારા સમાજના લોકો વધુ પ્રમાણમાં રહેતા હોય છે તેઓને રહેણાંક મકાનના વીજ કનેક્શન લેવા માટે થઈને છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી જે પ્રશ્નો હતા તે પ્રશ્નો ઉકેલવા માટે થઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી અને સરકારમાંથી સ્પેશિયલ મંજૂરી મેળવીને વિકાસ સપ્તાહ અંતર્ગત હાલમાં વન ઓવર વન કનેક્શન જે અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે પીજીવીસીએલના એમડી કેતનભાઇ જોષી મોરબી હાજર રહ્યા હતા તે ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને એકી સાથે મોરબીની જુદી જુદી વાડી વિસ્તારની અંદર રહેતા 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને મોરબીમાં એક જ દિવસમાં વાડી વિસ્તારની અંદર રહેતા 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે અને બાકીના લોકોને પણ વહેલી તકે વીજ કનેક્શન મળી જશે તેવી વીજ કંપનીના અધિકારીઓએ ખાતરી આપેલ છે આ વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાતા સતવારા સમાજની અંદર પણ હર્ષની લાગણી જોવા મળી હતી






Latest News