મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન
મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું
SHARE







મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું
મોરબીમાં રહેતા ગડારા પરિવાર દ્વારા ગડારા પરિવારના સ્નેહ મિલનનું તાજેતરમાં મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ શિવમ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સાડા ત્રણસો કરતા વધુ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને એક બીજાનો પરિચય આપ્યો હતો અને સહુ કોઈએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો અને “જ્યાં અન્ન ભેગા ત્યાં મન ભેગા” ને ઉક્તિને સાર્થક કરી હતી. ત્યાર બાદ પરિવારના લોકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને આ કાર્યક્રમ ગડારા પરિવારના મોભી રાઘવજીભાઈ ગડારાનાં માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા કરવામાં આવેલ હતો.
પાંચાબાપા ગડારા ટ્રસ્ટ દ્વારા ગડારા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગડારા પરિવારના મોભી રાઘવજીભાઈ ગડારા ખાસ હાજર રહ્યા હતા અને સમાજના યુવાનો સહિતના લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ રાઘવજીભાઈ ગડારાના પત્ની માણેકબેન ગડારા દ્વારા વાડીલોની ભૂમિકા નિભાવતા હોય તેમ સમાજની એકતા અને પરસ્પર લાગણી વધે અને એકબીજાને મદદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. અને હંમેશા ગડારા પરિવારની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને આવા કાર્યક્રમો થતા રહે તેવી પૂજય પાંચાબાપાના ચરણોમાં સહુ કોઈએ પ્રાર્થના કરી હતી. અને એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
