મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE













મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી નગરપાલીકા સમયે હેરીટેજ પ્રોપર્ટી એવા ટાઉનહોલની કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું હતું અને તે કામમાં મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હતો જેથી આજની તારીખે છેલ્લા ઘણા સમયથી ટાઊનહોલ બંધ હાલતમાં પડ્યો છે. તેઓ આક્ષેપ શહેર કોંગ્રેસનાં પ્રમુખે કર્યો છે.

મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, વિકાસની વાતો કરવામાં આવે છે જો કે, રજવાડાના સમયમાં બનેલ મોરબી નગરપાલીકા હતી ત્યારથી તેના હસ્તક્નો હેરીટેજ પ્રોપર્ટી કહી શકાય તેવો ટાઉનહોલ આજની તારીખે ખંઢેર બની ગયેલ છે. આ ટાઉન હોલમાં અગાઉ નાટક, વિધાર્થી સન્માન સમારંભ, સામાજીક કાર્યક્રમો થતાં હતા જો કે, પાલિકાના ભ્રષ્ટાચારી સતાધીશોના પાપે આજે આ હેરીટેજ ટાઉન હૉલ બંધ હાલતમાં છે. અને ત્યાં ભંગાર રાખીને તેનો ગોડાઉનની જેમ ઉપયોગ કરવામાં આવે છે. જો આ ટાઉન હોલના રિનોવેશન કામની હજુ પણ તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણાં નેતાઓનાં તપેલા ચડી જાય તેવી પરિસ્થિતિ છે. ત્યારે સવાલ એ ઊઠે છે જો કે, મહાપાલિકાના કમિશ્નર આ કૌભાંડની તપાસ કરશે કે પછી ભૂતકાળમાં નંદિધર, ૪૫-ડી, કે પછી આવાસ યોજના, ખરાબ સીમેન્ટની થેલીમાં થયેલ ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલાય ગયું તેવું થઈ જશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News