માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE













મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી નગરપાલીકા સમયે હેરીટેજ પ્રોપર્ટી એવા ટાઉનહોલની કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું હતું અને તે કામમાં મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હતો જેથી આજની તારીખે છેલ્લા ઘણા સમયથી ટાઊનહોલ બંધ હાલતમાં પડ્યો છે. તેઓ આક્ષેપ શહેર કોંગ્રેસનાં પ્રમુખે કર્યો છે.

મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, વિકાસની વાતો કરવામાં આવે છે જો કે, રજવાડાના સમયમાં બનેલ મોરબી નગરપાલીકા હતી ત્યારથી તેના હસ્તક્નો હેરીટેજ પ્રોપર્ટી કહી શકાય તેવો ટાઉનહોલ આજની તારીખે ખંઢેર બની ગયેલ છે. આ ટાઉન હોલમાં અગાઉ નાટક, વિધાર્થી સન્માન સમારંભ, સામાજીક કાર્યક્રમો થતાં હતા જો કે, પાલિકાના ભ્રષ્ટાચારી સતાધીશોના પાપે આજે આ હેરીટેજ ટાઉન હૉલ બંધ હાલતમાં છે. અને ત્યાં ભંગાર રાખીને તેનો ગોડાઉનની જેમ ઉપયોગ કરવામાં આવે છે. જો આ ટાઉન હોલના રિનોવેશન કામની હજુ પણ તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણાં નેતાઓનાં તપેલા ચડી જાય તેવી પરિસ્થિતિ છે. ત્યારે સવાલ એ ઊઠે છે જો કે, મહાપાલિકાના કમિશ્નર આ કૌભાંડની તપાસ કરશે કે પછી ભૂતકાળમાં નંદિધર, ૪૫-ડી, કે પછી આવાસ યોજના, ખરાબ સીમેન્ટની થેલીમાં થયેલ ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલાય ગયું તેવું થઈ જશે તે તો આગામી સમય જ બતાવશે.




Latest News