ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રહેતા પરિવારની યુવતીને દિવાળી ઉપર વતનમાં જવાની માતાએ ના પડતાં અનંતની વાટ પકડી


SHARE

























વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રહેતા પરિવારની યુવતીને દિવાળી ઉપર વતનમાં જવાની માતાએ ના પડતાં અનંતની વાટ પકડી

વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની દીકરીને દિવાળીના પર્વ ઉપર પોતાના વતનમાં જાવું હતું જો કે, તે યુવતીની માતાએ આ વર્ષે દિવાળીમાં વતનમાં જવું નથી તેવું કહ્યું હતું જેથી યુવતીને મનોમન લાગી આવતા તે ઘણા દિવસોથી સૂનમૂન રહેતી હતી દરમિયાન તેની માતા કવાર્ટરની બાહર જતાં યુવતીએ પોતાની જાતે પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસ્કોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચંદ્રપ્રસાદ રાજપુતની 20 વર્ષની દીકરી શિવાનીદેવીએ લેબર ક્વાર્ટરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીને દિવાળીના તહેવાર ઉપર પોતાના વતનમાં જવું હતું પરંતુ તેના માતાએ આપણે આ વર્ષે દિવાળી કરવા નથી જવું તેવું યુવતીને કહ્યું હતું જેથી તેને મનોમન લાગી આવ્યું હતું અને છેલ્લા દસેક દિવસથી તે સુનમૂન રહેતી હતી અને બે દિવસથી કામ પર પણ ગયેલ ન હતી તેવામાં તે યુવતીએ તેની માતા રૂમની બહાર જતા રૂમની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News