મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત કુલ પાંચ પકડાયા


SHARE



























મોરબીના વજેપરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત કુલ પાંચ પકડાયા

મોરબીના વજેપર શેરી નંબર 13 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 3,900 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વજેપર શેરી નં- 13 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રવિભાઈ વિનુભાઈ પોયલા રહે. કાલિકા પ્લોટ શેરી નંબર 2 મોરબી, જયેશભાઈ હમીરભાઇ ખાંભલા રહે. લીલાપર રોડ સ્મશાનની આગળ મોરબી, પૂનમબેન રામજીભાઈ બાંભણીયા રહે. વજેપર શેરી નંબર 11 મોરબી, ઝરીનાબેન સલીમભાઈ સુમરા રહે. કાલિકા પ્લોટ શેરી નંબર 5 મોરબી અને જશુબેન દિલીપભાઈ પોયલા રહે. ભૂમિ ટાવર પાછળ વાવડી રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3,900 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપમાં ઇજા

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા ધનજીભાઈ વાલજીભાઈ મકવાણા (49) નામના વ્યક્તિ રફાળેશ્વર ગામ પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા તો મોરબીના જૂના નાગડાવાસ ગામે રહેતા ધીરુભાઈ પ્રભુભાઈ મિયાત્રા (55) નામના આધેડ ભરતનગર ગામ પાસે નીલકંઠ પેટ્રોલ પંપ નજીકથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે જ્યારે મોરબીના ફડસર ગામે રહેતા સંજયભાઈ કિશોરભાઈ નિમાવત (40) નામના વ્યક્તિ સિકોતર માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News