મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા-રામગઢ કોયલી ગામે મારામારીના જુદાજુદા બે બનાવમાં મહિલા સહિત ઇજા પામેલા કુલ 9 લોકો સારવારમાં


SHARE













મોરબીના જાંબુડીયા-રામગઢ કોયલી ગામે મારામારીના જુદાજુદા બે બનાવમાં મહિલા સહિત ઇજા પામેલા કુલ 9 લોકો સારવારમાં

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાના નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ચાર વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આવી જ રીતે મોરબીના રામગઢ કોયલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી કુલ મળીને મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ મેક્સ ગ્રેનાઈટો સીરામીક કારખાના પાસે યુવાનો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ચાર લોકોને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જલનભાઈ ચૌહાણ (30) રહે. જાંબુડીયા તેમજ જીતેન્દ્ર વાસુદેવ નિશાદ (21) રહે. કુબેર ટોકીઝ પાછળ મફતપરા મોરબી, અજય રાજુભાઈ મૌર્ય રહે. શોભેશ્વર મંદિર પાસે મોરબી અને અરવિંદ મૌર્ય રહે. જાંબુડીયા વાળાને ઇજા થઇ હોવાથી ઇજા પામેલા ચારેય વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબી તાલુકાના રામગઢ કોઇલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમરશીભાઈ દેવશીભાઈ લોહિયા (60) અને કૈલાશ અમરશીભાઈ લોહિયા (27) નામના બે વ્યક્તિઓને ઇજા થઈ હતી જ્યારે સામાપક્ષેથી મારામારીના આ બનાવમાં જયદેવભાઈ વિનોદભાઈ લોહિયા (40) વિનોદભાઈ દેવજીભાઈ લોહિયા (42) અને રમીલાબેન વિનોદભાઈ લોહિયા (30) રહે. બધા રામગઢ વાળાઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ સેગા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં બીજા માળ ઉપરથી નીચે પટકાતા લખન પ્રતાપભાઈ રાવત (22) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા સપનાબેન નવલિયાભાઈ મેડા નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી






Latest News