મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ બાળકો-પરિવારો સાથે દિવાળી ઉજવી


SHARE













મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ બાળકો-પરિવારો સાથે દિવાળી ઉજવી

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વર્ષે દિવાળીની ઉજવણી ખાસ રીતે કરવામાં આવી હતી અને  ગ્રુપના સભ્યોએ 3000 જેટલા બાળકોને ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ મીઠાઈનું વિતરણ કર્યું હતું. આટલું જ નહીં 200 જેટલા આર્થિક રીતે નબળા પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું હતું યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી આપવાનો આનંદઅભિયાન હેઠળ દરેક તહેવારની ઉજવણી કરે છે. તેવી જ રીતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, “દિવાળી અને નવું વર્ષ ફક્ત કેલેન્ડર બદલવાનો પ્રસંગ નથી, પણ એ જીવનમાં નવી શરૂઆત કરવાનો અવસર છે. ઘર સાફ થઈ જાય છે, પણ દિલનું શું? એ પણ સાફ થવું જોઈએ. આ દિવાળીયંગ ઇન્ડિયા ગ્રુપે મોરબીના વિવિધ વિસ્તારોમાં જઈને બાળકોને ફટાકડાની કીટ, મીઠાઈ અને ભોજન કરાવ્યું હતું તથા ગરીબ પરિવારોને રાશન કીટ આપી દિલના દીવાઓ પ્રજલિત કરી આનંદના અજવાળાકરવાનો પ્રયાસ કર્યો હતો.






Latest News