મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત


SHARE











મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે આવેલ નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને અસંખ્ય માછલાંના મોત નિપજ્યાં છે જેથી ગામના સરપંચે કેમિકલયુક્ત પાણી નદીમાં  છોડવામાં આવે છે જેથી કરીને અસંખ્ય માછલાંના મોત થયા છે તેવો આક્ષેપ કરેલ છે અને જો જીપીસીબી દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગમી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબીના ગોર ખીજડીયા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં પેપર મિલો સહિતના નાના-મોટા કારખાનાઓ આવેલા છે અને જુદાજુદા ઓદ્યોગીક એકમોમાંથી કેમિકલયુક્ત પાણી નદીમાં અને ચેકડેમમાં છોડવામાં આવે છે જેથી ખેતીના પાકોને તો નુકશાન થાય જ છે તેની સાથો સાથે માછલાંના પણ મોત થયા છે આજે ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના ગામ પાસે નદીમાં કારખાનાઓમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેના માટે અગાઉ જીપીસીબીમાં રજૂઆત કરી હતી ત્યારે સેમ્પલ લેવામાં આવ્યા હતા જો કે, કોઈ કામ કરવામાં આવ્યું ન હતું તેવામાં આજે કેમિકલયુક્ત પાણી નટીમાં છોડવાથી અસંખ્ય માછલાંના મોત નિપજ્યાં છે જો આવીને આવી રીતે પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવશે તો પાણીજ્ન્ય રોગ ચાળો ફાટી નીકળે તેવી શ્ક્યતા છે જેથી કરીને પ્રદૂષણ રોકવા માટે થઈને ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબીમાં રજૂઆત કરવામાં આવશે પછી પણ જો નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News