મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત


SHARE













મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે આવેલ નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને અસંખ્ય માછલાંના મોત નિપજ્યાં છે જેથી ગામના સરપંચે કેમિકલયુક્ત પાણી નદીમાં  છોડવામાં આવે છે જેથી કરીને અસંખ્ય માછલાંના મોત થયા છે તેવો આક્ષેપ કરેલ છે અને જો જીપીસીબી દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગમી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબીના ગોર ખીજડીયા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં પેપર મિલો સહિતના નાના-મોટા કારખાનાઓ આવેલા છે અને જુદાજુદા ઓદ્યોગીક એકમોમાંથી કેમિકલયુક્ત પાણી નદીમાં અને ચેકડેમમાં છોડવામાં આવે છે જેથી ખેતીના પાકોને તો નુકશાન થાય જ છે તેની સાથો સાથે માછલાંના પણ મોત થયા છે આજે ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના ગામ પાસે નદીમાં કારખાનાઓમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેના માટે અગાઉ જીપીસીબીમાં રજૂઆત કરી હતી ત્યારે સેમ્પલ લેવામાં આવ્યા હતા જો કે, કોઈ કામ કરવામાં આવ્યું ન હતું તેવામાં આજે કેમિકલયુક્ત પાણી નટીમાં છોડવાથી અસંખ્ય માછલાંના મોત નિપજ્યાં છે જો આવીને આવી રીતે પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવશે તો પાણીજ્ન્ય રોગ ચાળો ફાટી નીકળે તેવી શ્ક્યતા છે જેથી કરીને પ્રદૂષણ રોકવા માટે થઈને ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબીમાં રજૂઆત કરવામાં આવશે પછી પણ જો નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News