મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના


SHARE













મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના

મોરબીના મહેન્દ્રનગર ગામથી દર વર્ષે બહુચરાજી માતાજી મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે 17 માં વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં 200 જેટલા ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.

પદયાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારૂભાઇ કૈલા, મનજીભાઇ દેત્રોજા, પ્રાણજીવનભાઈ  અને મહેન્દ્રનગર મિત્રવર્તુળ દ્વારા કરવામાં આવે છે દર વર્ષે ભક્તિ, એકતા અને શ્રદ્ધાથી મોરબીથી લોકો બહુચરાજી મંદિર સુધી પદયાત્રા કરીને જય છે અને માતાજીની દર્શનનો લાભ લેતા હોય છે આ યાત્રા ગામના યુવાનો માટે પ્રેરણારૂપ છે અને એક કે બે નહીં પરંતુ છેલ્લા 17 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામૂહિક સંકલ્પ શક્તિ, એકતા, ભાઇચારો અને સૌહાર્દનો પણ સંદેશ આ પદયાત્રા દ્વારા આપવામાં આવે છે. જેથી ત્રીજના દિવસે મહેન્દ્રનગર ગામથી “જય બહુચરાજીના નાદ સાથે આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે. અને યાત્રામાં જોડાયેલા ભક્તો માટેની તમામ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.






Latest News