મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના


SHARE







મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના

મોરબીના મહેન્દ્રનગર ગામથી દર વર્ષે બહુચરાજી માતાજી મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે 17 માં વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં 200 જેટલા ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.

પદયાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારૂભાઇ કૈલા, મનજીભાઇ દેત્રોજા, પ્રાણજીવનભાઈ  અને મહેન્દ્રનગર મિત્રવર્તુળ દ્વારા કરવામાં આવે છે દર વર્ષે ભક્તિ, એકતા અને શ્રદ્ધાથી મોરબીથી લોકો બહુચરાજી મંદિર સુધી પદયાત્રા કરીને જય છે અને માતાજીની દર્શનનો લાભ લેતા હોય છે આ યાત્રા ગામના યુવાનો માટે પ્રેરણારૂપ છે અને એક કે બે નહીં પરંતુ છેલ્લા 17 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામૂહિક સંકલ્પ શક્તિ, એકતા, ભાઇચારો અને સૌહાર્દનો પણ સંદેશ આ પદયાત્રા દ્વારા આપવામાં આવે છે. જેથી ત્રીજના દિવસે મહેન્દ્રનગર ગામથી “જય બહુચરાજીના નાદ સાથે આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે. અને યાત્રામાં જોડાયેલા ભક્તો માટેની તમામ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.






Latest News