મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના
આગામી ફેબ્રુઆરીની શરૂઆતમા ભારતભરના રાજપૂત સમાજના ૧૦૦૦ દીકરાઓ માટે ૨૧ દિવસીય તાલીમ કેમ્પનું આયોજન
SHARE
આગામી ફેબ્રુઆરીની શરૂઆતમા ભારતભરના રાજપૂત સમાજના ૧૦૦૦ દીકરાઓ માટે ૨૧ દિવસીય તાલીમ કેમ્પનું આયોજન
રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના દીકરા ઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આવનાર સમયમાં ભરતીઓ માટે ભવ્ય ૨૧ દિવસીય ભવ્ય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આવો સાથે મળીને સમાજને ઉન્નતિની દિશા તરફ લઈ જવાનાના અમારા આ નવ પ્રયાસને શક્ય બનાવા સમાજ આ દીકરાઓના કેમ્પ રૂપી મહાયજ્ઞમા સહભાગી બનીએ આગામી ફેબ્રુઆરીના શરૂઆતમા ભારતભરના ૧૦૦૦ રાજપૂત સમાજના દીકરાઓ માટે ભવ્યાતિ ભવ્ય ૨૧ દિવસીય તાલીમ કેમ્પની તૈયારીઓ માટે ગુજરાત રાજપૂત સમાજના ખૂણે ખૂણે વસતા દરેક વ્યક્તિ ને સમાજના ઉત્થાનને સમર્પિત આ ભવ્ય કેમ્પ મા પોતાનું મહાયોગદાન આપવા આહવાન છે.આ કેમ્પને સફળ બનાવવા રાજપૂત સમાજના તલાટીથી લઈને કલેકટર સુધીના, પોલીસ કર્મચારીથી લઈને આઈપીએસ અને સમાજના શિક્ષિત દરેક લોકોનો સાથ સહકાર અને સૂચન આવકાર્ય છે.હાલ જે આપણને ગ્રાઉન્ડ મળ્યું છે એની જગ્યા થોડી નાની હોય તો પોતાની માલિકી અથવા સમાજની કોઈ સારી જગ્યા હોઈ ગાંધીનગર, જામનગર , ભાવનગર સુ નગર , મોરબી, કચ્છ, રાજકોટ, આ જિલ્લામાં પહેલા પ્રાધાન્ય હોય તો સમાજના આ મહાયજ્ઞમા મહા યોગદાન માટે ફક્ત ૨૧ દિવસ સમાજના દીકરાઓ માટે જગ્યા આપવા ઇરછુંક વ્યક્તિ નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી
સંપર્ક નંબર : 99988 55221
પ્રવિણસિંહ ઝાલા (જૂના સાદુરકા-મોરબી, ભારતીય થલ સેના)