મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર: દિવાળીએ બાળકો પાસે વતનમાં જવાની પતિએ ના પડતાં પત્નીએ અનંતની વાટ પકડી


SHARE













વાંકાનેર: દિવાળીએ બાળકો પાસે વતનમાં જવાની પતિએ ના પડતાં પત્નીએ અનંતની વાટ પકડી

વાંકાનેરના સરતાનપર ગામ નજીક કારખાનામાં રહેતા પરિવારના બાળકો વતનમાં હતા જેથી મહિલાને તેના બાળકો પાસે દિવાળીમાં જવું હતું જો કે, તેના પતિએ થોડા સમય પછી વતનમાં જવાનું કહ્યું હતું તે બાબતે લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેની વાંકનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ બાફીટ સેનેટરી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા કવિતાબેન રામચરણભાઈ વર્મા (40) નામના મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની કોમલસિંગ ધુલજીભાઇ વર્મા (43) રહે. હાલ બાફીટ સેનેટરી લેબર ક્વાર્ટરમાં તાલુકો વાંકાનેર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના બાળકો વનમાં હતા જેથી કરીને તેને દિવાળીના તહેવારમાં પોતાના વતન જવું હતું પરંતુ તેના પતિએ થોડા સમય બાદ વતનમાં જશું તેવું કહ્યું હતું તે બાબતે મહિલાને મનોમન લાગી આવતા તેણીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News