મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ઝંપલાવનારા બંને યુવાનોનો 33 કલાક પછી મૃતદેહ મળ્યા: SDRF અને મોરબી - રાજકોટની ફાયરની ટીમે કરી કાર્યવાહી


SHARE













મોરબીની મચ્છુ નદીમાં ઝંપલાવનારા બંને યુવાનોનો 33 કલાક પછી મૃતદેહ મળ્યા: SDRF અને મોરબી -  રાજકોટની ફાયરની ટીમે કરી કાર્યવાહી

મોરબીના પાડાપુલની બાજુમાં આવેલ રેલવેના પુલ ઉપરથી શુક્રવારે બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં બે યુવાનોએ પડતું મૂક્યું હોવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને પાણીમાં પડેલા યુવાનોને શોધવા માટે કવાયત કરવામાં આવી હતી જો કે, પાણીમાંથી યુવાનોનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી કરીને ગોંડલ ખાતેથી એસડીઆરએફ ની ટીમ અને રાજકોટ ફાયર વિભાગની ટીમને બોલાવી હતી અને 33 કલાક પછી બંને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ છે.

મોરબીમાં શુક્રવારે બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના પાડાપુલની બાજુમાં આવેલ રેલવેના બ્રિજ ઉપરથી મચ્છુ નદીમાં બે યુવાનોએ પડતું મૂક્યું હતું જે અંગેની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મચ્છુ નદીમાં પડેલા બંને યુવાનોને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી ત્યાર બાદ ગોંડલ ખાતેથી એસડીઆરએફની ટીમ અને રાજકોટ ખાતેથી ફાયરની ટીમને મોરબી ખાતે બોલાવવામાં આવી હતી અને ત્રણેય ટીમ દ્વારા મચ્છુ નદીમાં ઝંપલાવનાર બંને યુવાનોને પાણીમાંથી શોધવા માટે થઈને કવાયત કરવામાં આવી રહી હતી. અને ફાયર વિભાગના અધિકારી જયેશભાઇ ડાકીના જણાવ્યા પ્રમાણે હર્ષદ બળદેવભાઈ પારઘી (20) રહે. વવાણીયા તથા અનિલ કનુભાઈ ભંખોડીયા (27) રહે. વીસીપરા મોરબી વાળાના મૃતદેહને પાણીમાં 33 કલાક પછી બહાર કાઢવામાં આવેલ છે. અને તેઓના પરિવારજની જાણ કરવામાં આવેલ છે અને બંને યુવાનોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News