મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા કાંતિભાઈ બાવરવાની માંગ


SHARE







ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા કાંતિભાઈ બાવરવાની માંગ

મોરબી જીલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ ખેતરમાંથી ઉપાડી લીધેલ છે અને ખેડૂતોના ઘરમાં કપાસ પડ્યો છે તો પણ હજુ સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં આવેલ નથી માટે ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવેલ છે જો કે, કપાસની ખરીદી કરવામાં આવતી નથી જેથી તાત્કાલિક કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ કરી છે અને આ અંગે તેઓએ મુખ્યમંત્રીને  પત્ર પણ લખ્યો છે.

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે,  સૌરાષ્ટ્રમાં મોટા ભાગે ખેડૂતો  કપાસનું વાવેતર કરતા હોય છે. અને આ કપાસ દિવાળી પહેલા ખેતરમાંથી ઉપાડી લેવામાં આવે છે જેથી હાલમાં કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે. જેથી આર્થીક નબળા ખેડૂતો યાર્ડમાં કપાસ વેચવા માટે આવી રહ્યા છે તો પણ સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં  આવેલ છે. પરંતુ હજુ સુધી ક્યાય પણ ટેકાના ભાવે કપાસની ખરીદી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ નથી. જેથી ખેડૂત પાસેથી વહેલી તકે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આવું કરવામાં નહી આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે રજુઅતો કરવામાં આવશે.






Latest News