મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન છોટે વીરપુર મોરબીમાં આજે જલારામ જયંતીની ઉજવણી નિમિતે કાર્યક્રમોની વણજાર: કેક કટિંગ, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ યોજાશે હળવદના માથક ગામે પરણીતાએ અગમ્ય કારણોસર ભર્યું અંતિમ પગલું મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સ પકડાયો: 6600 નો દારૂ કબ્જે
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા કાંતિભાઈ બાવરવાની માંગ


SHARE



























ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા કાંતિભાઈ બાવરવાની માંગ

મોરબી જીલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ ખેતરમાંથી ઉપાડી લીધેલ છે અને ખેડૂતોના ઘરમાં કપાસ પડ્યો છે તો પણ હજુ સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં આવેલ નથી માટે ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવેલ છે જો કે, કપાસની ખરીદી કરવામાં આવતી નથી જેથી તાત્કાલિક કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ કરી છે અને આ અંગે તેઓએ મુખ્યમંત્રીને  પત્ર પણ લખ્યો છે.

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે,  સૌરાષ્ટ્રમાં મોટા ભાગે ખેડૂતો  કપાસનું વાવેતર કરતા હોય છે. અને આ કપાસ દિવાળી પહેલા ખેતરમાંથી ઉપાડી લેવામાં આવે છે જેથી હાલમાં કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે. જેથી આર્થીક નબળા ખેડૂતો યાર્ડમાં કપાસ વેચવા માટે આવી રહ્યા છે તો પણ સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં  આવેલ છે. પરંતુ હજુ સુધી ક્યાય પણ ટેકાના ભાવે કપાસની ખરીદી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ નથી. જેથી ખેડૂત પાસેથી વહેલી તકે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આવું કરવામાં નહી આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે રજુઅતો કરવામાં આવશે.






Latest News