મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી નજીક મચ્છુ નદીના પાણીમાં ડૂબી જવાથી વજેપરના વૃદ્ધાનું મોત


SHARE



























મોરબી નજીક મચ્છુ નદીના પાણીમાં ડૂબી જવાથી વજેપરના વૃદ્ધાનું મોત

મોરબીના લીલપર રોડ ઉપર આવેલ સ્મશાનની પાછળના ભાગમાં આવેલ મચ્છુ નદીમાં મહિલાની લાશ પડી હતી જેથી આ બનાવની ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી માટે ફાયરની ત્યાં પહોચી હતી અને મહિલાની લાશને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને મૃતક મહિલા વજેપર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.

 

મોરબીના લીલપર રોડ ઉપર આવેલ સ્મશાનની પાછળના ભાગમાંથી મચ્છુ નદી પસાર થાય છે ત્યારે પાણીમાં કોઈ અજાણી મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણીયા,રાજુભાઈ દવે અને મુન્નાભાઈ ત્યાં દોડી ગયા હતા અને આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે ત્યાં આવી હતી અને પાણીમાં પડેલ મહિલાની લાશને બહાર કાઢવામાં આવી હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને અજાણી વૃદ્ધાની લાશ હોવાથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામા આવતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઇ મકવાણા અને દિનેશભાઇ ડાંગર મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ કરી રહ્યા હતા તેવામાં આ મૃતક મહિલાનું નામ શાંતાબેન તળશીભાઈ ચાવડા (85) રહે. વજેપર શેરી નંબર 11 મોરબી વાળા હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News