મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા કાંતિભાઈ બાવરવાની માંગ


SHARE













ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા કાંતિભાઈ બાવરવાની માંગ

મોરબી જીલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ ખેતરમાંથી ઉપાડી લીધેલ છે અને ખેડૂતોના ઘરમાં કપાસ પડ્યો છે તો પણ હજુ સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં આવેલ નથી માટે ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવેલ છે જો કે, કપાસની ખરીદી કરવામાં આવતી નથી જેથી તાત્કાલિક કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ કરી છે અને આ અંગે તેઓએ મુખ્યમંત્રીને  પત્ર પણ લખ્યો છે.

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે,  સૌરાષ્ટ્રમાં મોટા ભાગે ખેડૂતો  કપાસનું વાવેતર કરતા હોય છે. અને આ કપાસ દિવાળી પહેલા ખેતરમાંથી ઉપાડી લેવામાં આવે છે જેથી હાલમાં કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે. જેથી આર્થીક નબળા ખેડૂતો યાર્ડમાં કપાસ વેચવા માટે આવી રહ્યા છે તો પણ સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં  આવેલ છે. પરંતુ હજુ સુધી ક્યાય પણ ટેકાના ભાવે કપાસની ખરીદી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ નથી. જેથી ખેડૂત પાસેથી વહેલી તકે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આવું કરવામાં નહી આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે રજુઅતો કરવામાં આવશે.






Latest News