મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં બુધવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હાજરીમાં સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા યોજાશે


SHARE













મોરબીમાં બુધવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હાજરીમાં સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા યોજાશે

મોરબીમાં બુધવારે કોંગ્રેસના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ  કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાંથી કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામ લોકોને આવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આમંત્રણ આપ્યું છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ જણાવ્યુ હતું કે, તા 29 ને બુધવારે કોંગ્રેસના સ્નેહમિલન અને તેની સાથે જન આક્રોશ સભાનું આયોજન પંચાસર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જનતાના હક્ક, ન્યાય અને બદલાવના સંકલ્પ લેવામાં આવશે અને ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભાના વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને મહમદજાવેદ પીરઝાદા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે સ્નેહમિલન અને જન આક્રોશ સભામાં કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યક્રરોને હાજર રહેવા માટે તેમજ વધુમાં વધુ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને આવવા માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ આમંત્રણ આપ્યું છે.






Latest News