મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ


SHARE













મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની ડબલ રકમનો દંડ ત્થા ચેકની રકમ 9 ટકાના વ્યાજ સાથે રકમ ચુકવવા માટેનો કોર્ટે આદેશ કર્યો છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ અનિલભાઈ માવજીભાઈ ડાભીએ ફરીયાદી મનહરભાઈ રમેશભાઈ હડીયલ પાસેથી મિત્રતાના સંબંધના દાવે છ માસની મુદત માટે 6 લાખ રૂપિયા લીધા હતા જે હાથ ઉછીના લીધેલ રૂપિયા અનિલભાઈ માવજીભાઈ હડીયલએ 6 લાખ રૂપિયાનો ચેક આપેલ હતો. અને આરોપીએ ફરીયાદીને પ્રોમીશરી નોટ લખી આપેલ હતી ત્યારબાદ ફરીયાદી મનહરભાઈ રમેશભાઈ હડીયલે પાકતી તારીખે ચેક તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા ચેક આરોપીના એકાઉન્ટમાં પૂરતુ ભંડોળ ન હોવાના કારણે રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ તેમના વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટક મારફત નોટીશ આપી હતી છતાં પણ આરોપીએ ફરીયાદીને ચેકની રકમ નહી ચુકવતા ફરિયાદીએ મોરબીની કોર્ટમાં ફોજદારી કેશ નં-4056/23 થી ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- 138 અન્વયે ફરીયાદ દાખલ કરી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદીના વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટકએ કરેલ દલીલ અને રાજુયાતોને ધ્યાને લઈને જજ એસ.એ.મેમણ સાહેબે આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની બમણી રકમ 12 લાખનો દંડ અને ચેકની રકમ 6 લાખ ઉપર ફરીયાદની તારીખથી ચુકવણી સુધીની તારીખનુ વાર્ષિક 9 ટકા વ્યાજ સહીતની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી વતી વકીલ નિકુંજભાઈ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, કિશોરભાઈ સુરેલા, વિશાલભાઈ ચાવડા તથા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.






Latest News