મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ૩જી તારીખે દાદા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમનો શુભારંભ કરાશે


SHARE













મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ૩જી તારીખે દાદા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમનો શુભારંભ કરાશે

મોરબીના આંગણે પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં થોડો ફેરફાર થયો છે અને આ મહોત્સવ ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન યોજાશે. અને આગામી તા ૩ નવેમ્બરે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

અણધાર્યા કમોસમી વરસાદને કારણે મુલાકાતીઓને મુશ્કેલી ન પડે અને તેમની સગવડ સારી રીતે સચવાય રહે એ ધ્યાનમાં રાખીને પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે મોરબીના આંગણે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. અને હવે આ મહોત્સવ ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન યોજાશે. અને આ મહોત્સવનો શુભારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ૩ નવેમ્બર સોમવારે સાંજે રહેશે. જેમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મહોત્સવ નિમિત્તે ખાસ ઊભી કરવામાં આવેલી "જોવા જેવી દુનિયા" ની મુલાકાત ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી લઈ શકાશે. જેવુ આયોજકોએ જણાવ્યુ છે.






Latest News