મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ બી.કે.લહેરૂ દ્રારા ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરાઇ
SHARE
મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ બી.કે.લહેરૂ દ્રારા ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરાઇ
શ્રી મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ-મોરબીના વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.જેમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ તરીકે તાજેતરમાં ડો. બી.કે.લહેરૂની વરણી થયા બાદ તેમની નવી બોડીમાં મહામંત્રી તરીકે અજયભાઈ રાવલ (હળવદ), સૌરાષ્ટ્ર-કચ્છ કારોબારી નલીનભાઈ એન. ભટ્ટ, પ્રશાંતભાઈ મહેતા તેમજ ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ વી. ભટ્ટ, રાજુભાઈ જોષી, એડવોકેટ નીતિનભાઈ પંડ્યાની તેમજ મંત્રી તરીકે બીપીનભાઈ ભટ્ટ, મહેશ બી. ભટ્ટ, નીરવભાઈ રાવલની અને ખજાનચી તરીકે ડો.રાજેશ ભટ્ટ (માળિયા) ની તેમજ કારોબારી સભ્ય તરીકે અશોકભાઇ એન.જોષી, દિનેશભાઈ બી.પંડયા, અતુલભાઈ પાઠક (હળવદ), અતુલભાઈ ડી. ત્રિવેદી (ટંકારા), સંજયભાઈ લહેરૂ (વાંકાનેર) ની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.