મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજા-બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ


SHARE













મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજા-બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

મોરબીના કારખાનેદાર પાસેથી ઉઘરમાં માલની ખરીદી કરવામાં આવ્યા બાદ વેપારીએ ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થયો હતો જેથી કરીને મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ કર્યો હતો જેમાં કોર્ટે સામાવાળાને એક વર્ષની સજા, બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી હતી કે, ફરીયાદી પ્રિન્સકુમાર દીનેશચંન્દ્ર પનારા (રામોજી ગ્રેનાઈટ પ્રા.લી.ના ઓથોરાઈઝડ સીગ્નેચરી)સામાવાળા કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રી (પ્રોપરાઈટર ઓફ જલારામ એન્ટરપ્રાઈઝ)ને વર્ષ ૨૦૧૮ માં ઉધારમાં સીરામીક આઈટમ્સનો માલ વેંચેલા હતો. અને ફરીયાદીએ મોકલેલ માલની બાકી રકમની ચુકવણી કરવા સામાવાળા કલ્પેશ વિનુભાઈ મીસ્ત્રીએ ૧,૫૫,૫૩૬ નો ચેક ફરીયાદીને આપેલ હતો. જે ચેક ફરીયાદીએ બેંકમાં જમા કરાવ્યો હતો જોકે, ચેક રિટર્ન થયો હતો. જેથી ફરીયાદીએ વકીલ મારફત નોટીસ આપેલ હતી છતાં સામાવાળાએ ચેકની રકમ આપેલ ન હતી જેથી ફરીયાદી મોરબીની કોર્ટમાં કલ્પેશ મીસ્ત્રી સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા ૨જુ કરાયેલ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના મહે.એડી.ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબે કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રીને એક વર્ષની કેદની સજા, ચેકની રકમથી ડબલ રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે અને તેમ કરવામાં કસુર કર્યે વધુ ૯૦ દીવસની સજાનો આદેશ કરેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે આશિષ ડી.ચાવડા, મીતરાજસિંહ કે.જાડેજા અને નીશીત પી.ધેટીયા રોકાયેલ હતાં.






Latest News