મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજા-બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજા-બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

મોરબીના કારખાનેદાર પાસેથી ઉઘરમાં માલની ખરીદી કરવામાં આવ્યા બાદ વેપારીએ ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થયો હતો જેથી કરીને મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ કર્યો હતો જેમાં કોર્ટે સામાવાળાને એક વર્ષની સજા, બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી હતી કે, ફરીયાદી પ્રિન્સકુમાર દીનેશચંન્દ્ર પનારા (રામોજી ગ્રેનાઈટ પ્રા.લી.ના ઓથોરાઈઝડ સીગ્નેચરી)સામાવાળા કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રી (પ્રોપરાઈટર ઓફ જલારામ એન્ટરપ્રાઈઝ)ને વર્ષ ૨૦૧૮ માં ઉધારમાં સીરામીક આઈટમ્સનો માલ વેંચેલા હતો. અને ફરીયાદીએ મોકલેલ માલની બાકી રકમની ચુકવણી કરવા સામાવાળા કલ્પેશ વિનુભાઈ મીસ્ત્રીએ ૧,૫૫,૫૩૬ નો ચેક ફરીયાદીને આપેલ હતો. જે ચેક ફરીયાદીએ બેંકમાં જમા કરાવ્યો હતો જોકે, ચેક રિટર્ન થયો હતો. જેથી ફરીયાદીએ વકીલ મારફત નોટીસ આપેલ હતી છતાં સામાવાળાએ ચેકની રકમ આપેલ ન હતી જેથી ફરીયાદી મોરબીની કોર્ટમાં કલ્પેશ મીસ્ત્રી સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા ૨જુ કરાયેલ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના મહે.એડી.ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબે કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રીને એક વર્ષની કેદની સજા, ચેકની રકમથી ડબલ રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે અને તેમ કરવામાં કસુર કર્યે વધુ ૯૦ દીવસની સજાનો આદેશ કરેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે આશિષ ડી.ચાવડા, મીતરાજસિંહ કે.જાડેજા અને નીશીત પી.ધેટીયા રોકાયેલ હતાં.






Latest News