મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો


SHARE













મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો

લાલબાગ ઉપનગર સરસ્વતી પ્રભાત શાખાના સ્વયંસેવક તથા સિરામિક ટ્રેડિંગના વ્યવસાયી હર્ષદભાઈ મોહનભાઈ ઉઘરેજાએ તેમની દીકરી દિત્યાનો તૃતીય જન્મદિવસ અનોખી રીતે ઉજવી સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્યના પંચ પરિવર્તન બિંદુઓને સાર્થક બનાવ્યા હતા તકે સેવા ભારતી ગુજરાત સંલગ્ન મોરબી ખાતે સેવા વસ્તી વિસ્તારમાં ચાલતા ત્રણ સંસ્કાર કેન્દ્રોના 85 થી વધુ બાળકોને સ્કૂલ કીટ અને ચોકલેટ વિતરણ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં સરસ્વતી પ્રભાત શાખાના મુખ્ય શિક્ષક મહેન્દ્રભાઈ જાકાસણીયા અને હર્ષદભાઈની ધર્મપત્ની પણ સહભાગી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિત્યાનો પ્રથમ જન્મદિવસ વડિલ વંદના અને બીજા જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમમાં વડિલોને ભોજન કરાવી ઉજવવામાં આવ્યો હતો.






Latest News