મોરબી: ચેક રિટર્નના કેસમાં સજા પામેલ આરોપીએ સ્ટેની શરતોનો ભંગ કરતાં કોર્ટે આરોપીને કર્યો જેલ હવાલે
મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવાયો જન્મદિવસ
SHARE
મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવાયો જન્મદિવસ
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ, નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર જયવંતસિંહ જાડેજાનો જન્મ દિવસ હતો ત્યારે વૃદ્ધાશ્રમના વડીલોને અગ્નેશ્વર મંદિર ખાતે જમવા માટે આમંત્રિત કર્યા હતા અને વડીલોને ભોજન કરાવ્યુ હતું. તે ઉપરાંત તેઓને તેના મિત્રો, સગા-સંબંધીઓને પણ આમંત્રિત કરીને ભોજન કરવાયું હતું. અને આમ પોતાના જન્મદિવસની ઉજવણી વડીલો સાથે કરીને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે તેઓના પત્ની મોરબી પાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ દીનાબા જાડેજા, તેમજ દીકરી અભિજીતસિંહ જાડેજા સહિતના પરિવારના સભ્યો ત્યા હાજર રહ્યા હતા.