તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં આગમી ઉતરાયણના દિવસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પણ પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે


SHARE











મોરબીમાં આગમી ઉતરાયણના દિવસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પણ પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આગામી ઉત્તરાયણના દિવસે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓની સારવાર માટે પક્ષી બચાવો અભિયાન કરવામાં આવશે જેમાં છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રવાપર રોડ ઉપર પક્ષી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવે છે. જ્યાં ૧૫૦ થી વધુ પક્ષીઓની સધન સારવાર કરવામાં આવે છે. તેમજ હવે આગામી ઉત્તરાયણમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના સામાકાંઠે વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પક્ષી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવશે. જેથી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક અને સમયસર સારવાર મળી શકે. વધુ માહીતી માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોબાઇલ નંબર ૭૫૭૪૮ ૮૫૭૪૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News