મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આગમી ઉતરાયણના દિવસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પણ પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે


SHARE







મોરબીમાં આગમી ઉતરાયણના દિવસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પણ પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આગામી ઉત્તરાયણના દિવસે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓની સારવાર માટે પક્ષી બચાવો અભિયાન કરવામાં આવશે જેમાં છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રવાપર રોડ ઉપર પક્ષી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવે છે. જ્યાં ૧૫૦ થી વધુ પક્ષીઓની સધન સારવાર કરવામાં આવે છે. તેમજ હવે આગામી ઉત્તરાયણમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના સામાકાંઠે વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પક્ષી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવશે. જેથી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક અને સમયસર સારવાર મળી શકે. વધુ માહીતી માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોબાઇલ નંબર ૭૫૭૪૮ ૮૫૭૪૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News