મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

દિલ્હી બ્લાસ્ટના પગલે મોરબી જીલ્લામાં વાહન, હોટલ, બસ અને રેલ્વે સ્ટેશન ઉપર ચેકિંગ


SHARE







દિલ્હી બ્લાસ્ટના પગલે મોરબી જીલ્લામાં વાહન, હોટલ, બસ અને રેલ્વે સ્ટેશન ઉપર ચેકિંગ

દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયો છે ત્યારબાદ સમગ્ર ભારત દેશની અંદર હાલમાં પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને હોટલો સાહિતની જુદીજુદી જગ્યાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સઘન ચેકિંગ આવી આવ્યું હતું.

ગઇકાલે મોડી સાંજે દિલ્હીમાં કારની અંદર બ્લાસ્ટ થયો હતો અને તે બ્લાસ્ટની અંદર 9 લોકોના મૃત્યુ થયા હોવાની વિગત સામે આવી રહી છે ત્યારે આ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્ય પોલીસ વડા દ્વારા ગઇકાલે મોડી રાતે સમગ્ર રાજ્યની અંદર એલર્ટનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી જિલ્લામાં એસપી મુકેશકુમાર પટેલની સૂચના મુજબ ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી પીઆઇ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઈ સહિતના પોલીસ જવાનો દ્વારા મોરબી શહેર અને જીલ્લામાં વાહન, હોટલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન ઉપર પણ ચેકિંગ કર્યું હતું આ ઉપરાંત મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યુ હતું કે, કોઈએ ખોટી અફવામાં લોકોને આવવું નહીં અને સોશ્યલ મીડિયામાં કોઈપણ મેસેજને શેર કરતાં પહેલ વેરિફિકેશન કરવા માટે અપીલ કરી હતી.






Latest News