મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જમીન માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને વેચી નાખવાનું કૌભાંડ, બે સામે નામ જોગ ફરિયાદ: એકની ધરપકડ


SHARE











મોરબીમાં જમીન માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને વેચી નાખવાનું કૌભાંડ, બે સામે નામ જોગ ફરિયાદ: એકની ધરપકડ

મોરબીના વજેપર વિસ્તારમાં અગાઉ થયેલા જમીન કૌભાંડમાં જમીનના મૂળ માલિકનો પરિવાર હજુ ન્યાય ઝંખી રહ્યો છે તેવામાં વજેપર વિસ્તારમાંથી વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે જેમાં જમીનના મૂળ માલિકના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવીને જમીનના ખોટા ખાતેદાર બનીને વેચી નાખવાનું કૌભાંડ કર્યું હતું જે અંગેની સમયસર જમીનના મૂળ માલિકના પરિવારજનોને જાણ થઈ જતા તેના દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પૂર્વઆયોજિત કાવતરું રચીને ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને ખરા તરીકે ઉપયોગ કરીને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરનારાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જે પૈકી પોલીસે હાલમાં એક આરોપીને પકડીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં આવેલ રાફડાની વાડીમાં રહેતા બાબુભાઈ તળશીભાઇ ચાવડા (40એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમિતભાઈ મોહનભાઈ પરમાર રહે. નવા બસ સ્ટેશન પાછળ રાધા પાર્ક મોરબી તથા દર્શિત પ્રવીણભાઈ મેવાડા રહે. લાયન્સનગર મોરબી અને તપાસમાં જેના નામ ખૂલે તે તમામની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વજેપર સર્વે નંબર 767 પૈકી 2 માં ફરિયાદીની વડીલો પાર્જિત માલિકીની જમીન આવેલ છે.જે જમીનને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરીને મિલનભાઈ પ્રકાશભાઈ ફુલતરીયાને વેચવા માટેનું કૌભાંડ કર્યું હતું અને ફરિયાદીના પિતાના નામના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવીને સાહે મિલનભાઈ ફુલતરીયાને ખોટા ખાતેદાર તરીકે ઓળખ આપીને આરોપી અમિતભાઈ પરમારે તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાનું ખોટું નામ ધારણ કરીને તેનો સંપર્ક કર્યો હતો અને ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી તથા સાહેદની સાથે  વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે નામ જોગ તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે અને હાલમાં આ જમીન કૌભાંડમાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આરોપી અમિતભાઈ મોહનભાઈ પરમાર હાલ રહે.નવા બસ સ્ટેશન પાછળ રાધા પાર્ક-૨ મોરબી મૂળ રહે.પંચેશ્વરી ચોક કપતીયાણા જી.પોરબંદર ની ધરપકડ કરવામાં આવી છે.અને તેના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે.






Latest News