મોરબીની આયુષ હોસ્પિટલમાં એકી સાથે ત્રણ ગંભીર રોગોથી પીડાતા વૃદ્ધ દર્દીની સફળતા સારવાર કરાઇ
SHARE
મોરબીની આયુષ હોસ્પિટલમાં એકી સાથે ત્રણ ગંભીર રોગોથી પીડાતા વૃદ્ધ દર્દીની સફળતા સારવાર કરાઇ
મોરબી જિલ્લામાં ક્રિટિકલ કેર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક દર્દીને હૃદય, કિડની અને ફેફસામાં એક સાથે લાગુ પડેલા ગંભીર રોગોની સફળતા પૂર્વક સારવાર કરવામાં આવેલ છે.
મોરબીની આયુષ હોસ્પિટલમાં 75 વર્ષના વૃદ્ધ દર્દી ડો. સત્યજીતસિંહ જાડેજા પાસે સારવારમાં દાખલ થયા હતા જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે દર્દીનું હૃદય ખુબજ નબળું પડી ગયું હતુ, હૃદયનું પંપીંગ કાર્ય માત્ર 20 % હતું, કિડની પર ડેમેજ થયું હતુ, પલ્મોનરી ઇડિમા થયુ હતું, પેશાબની કોથળીમાં ચેપ લાગેલો હતો, ઈલેક્ટ્રો લાઇટ્સનુ નોર્મલ લેવલ ડિસ્ટર્બ થઈ ગયુ હતુ. આમ આવી અનેક ગંભીર બીમારી હોવા છતા ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા દર્દીની સારવાર ખૂબ જ સફળતા પૂર્વક થતા દર્દીની માત્ર 5 દિવસ માં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા અનેક ક્રિટિકલ દર્દીઓ ની ખૂબ સફળતાપૂર્વક સારવાર થતા દર્દીઓ ને નવજીવન મડયુ છે.