મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ: 14.47 કામોની શહેરને આપી ભેટ


SHARE







મોરબીમાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ: 14.47 કામોની શહેરને આપી ભેટ

મોરબીના વેજીટેબલ રોડે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ સત્સંગ હોલમાં આજે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મોરબી જિલ્લાનું નામ રોશન કરનારા ખેલાડીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત મોરબી જિલ્લાને મંત્રીએ 14.47 કરોડના જુદાજુદા વિકાસ કામોની ભેટ આપી હતી.

ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં 3.97 કરોડના 27 કામોનું ખાતમુહૂર્ત અને 10.49 કરોડના કામોનું લોકાર્પણ રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબી જિલ્લાના આદિજાતિ સમુદાયના રમતવીરોખેલાડીઓ અને સફળ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબીના ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતીભાઈ ભાડેશિયા, મહેશભાઇ બોપલિયા, મોરબી જિલ્લા બિલ્ડર એસો. પ્રમુખ સંતોષભાઈ સેરશિયા, મેઘરાજસિંહ ઝાલા, હસુભાઈ પંડ્યા, જે.પી.જેસવાણી, સુરેશભાઇ સીરોહિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ખાસ કરીને આ તકે ડો.જયંતીભાઈ ભાડેશિયા, મહેશભાઇ બોપલિયા અને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું અને ભગવાન બિરસા મુંડાએ નાની ઉમરમાં પોતાના સમાજ માટે જે કામ કર્યું હતું અને ક્રાંતિ લાવી હતી તેને સહુ કોઈએ યાદ કરીને તેઓના જીવનમાંથી આજની યુવા પેઢીને પ્રેરણા લેવા માટે આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મોરબી શહેર તેમજ આસપાસના ઓદ્યોગીક વિસ્તારમાં રહેતા અને કામ કરતાં આદિવાસી/ આદિજાતિ સમુદાયના લોકો હાજર રહ્યા હતા. 






Latest News