મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન


SHARE





મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના દ્વારા નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ત્રણ કેટેગીરી રાખવામા આવેલ છે અને તેના માટે નામ નોંધણી હાલમાં કરવામાં આવી રહી છે અને આગામી ૭/૧૨ ના રોજ સ્પર્ધા યોજાશે.

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ડો. બી કે લહેરૂએ જણાવ્યુ છે કે, બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧ થી ૧૨ વર્ષ સુધીના બાળકો માટેનો વિષય “મારો પ્રિય રાષ્ટ્રભક્ત નેતા” અને ૧૩ વર્ષથી ૩૦ વર્ષના યુવાનો માટેનો વિષય “રાજકારણમાં બ્રાહ્મણની સક્રિયતા જરૂરી છે” તેમજ ૩૧ વર્ષથી ઉપરની ઉમર માટે “રાજકીય ક્ષેત્રે બ્રાહ્મણોનું યોગદાન” વિષય રાખવામા આવેલ છે આ વકતૃત્વ સ્પર્ધામાં દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે અને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૩૦/૧૧ સુધીમાં નામ નોંધવાવના રહેશે. અને આ સ્પર્ધા તા. ૭/૧૨ ને રવિવારે સાંજે ૫:૦૦ કલાકે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે યોજાશે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિને માત્ર પાંચ મિનિટનો સમય આપવામાં આવશે. અને સ્પર્ધામાં ભાગ લેવા ડો. બી કે લહેરૂ (૯૯૧૩૨૨૨૨૮૩), ભુપતભાઈ પંડ્યા (૯૮૨૫૬૭૧૬૯૮) અને આર.કે. ભટ્ટ (૯૯૦૯૯૫૮૧૮૮)નો સંપર્ક કરીને નામ નોંધાવવાના રહેશે.

મોરબીમાં રાહતદરે શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ કરાશે
મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી વૈધ સભા, મોરબી સીનીયર સીટીઝન અને મહાવીર સોસાયટી દ્વારા તા. 25 થી રોજ શુદ્ધ ઘી ના અડદિયાનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. અને તેવી માહિતી ડો. બી કે લહેરૂએ આપેલ છે અને તેનો લાભ લેવા માટે ડો. બી કે લહેરૂ (૯૯૧૩૨૨૨૨૮૩), નરભેરામભાઈ ચડાસણીયા (૯૮૨૫૧૫૨૩૧૦), અનિલભાઈ બુદ્ધદેવ (૯૮૨૫૮૨૬૪૧૩),  મહેશભાઈ ભટ્ટ (૯૯૦૯૦૮૧૮૧૨) અને નલીનભાઈ ભટ્ટ (૯૮૨૫૭૫૬૦૩૯)નો સંપર્ક કરવા જણાવ્યું છે.




Latest News