મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન


SHARE













મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના દ્વારા નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ત્રણ કેટેગીરી રાખવામા આવેલ છે અને તેના માટે નામ નોંધણી હાલમાં કરવામાં આવી રહી છે અને આગામી ૭/૧૨ ના રોજ સ્પર્ધા યોજાશે.

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ડો. બી કે લહેરૂએ જણાવ્યુ છે કે, બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧ થી ૧૨ વર્ષ સુધીના બાળકો માટેનો વિષય “મારો પ્રિય રાષ્ટ્રભક્ત નેતા” અને ૧૩ વર્ષથી ૩૦ વર્ષના યુવાનો માટેનો વિષય “રાજકારણમાં બ્રાહ્મણની સક્રિયતા જરૂરી છે” તેમજ ૩૧ વર્ષથી ઉપરની ઉમર માટે “રાજકીય ક્ષેત્રે બ્રાહ્મણોનું યોગદાન” વિષય રાખવામા આવેલ છે આ વકતૃત્વ સ્પર્ધામાં દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે અને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૩૦/૧૧ સુધીમાં નામ નોંધવાવના રહેશે. અને આ સ્પર્ધા તા. ૭/૧૨ ને રવિવારે સાંજે ૫:૦૦ કલાકે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે યોજાશે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિને માત્ર પાંચ મિનિટનો સમય આપવામાં આવશે. અને સ્પર્ધામાં ભાગ લેવા ડો. બી કે લહેરૂ (૯૯૧૩૨૨૨૨૮૩), ભુપતભાઈ પંડ્યા (૯૮૨૫૬૭૧૬૯૮) અને આર.કે. ભટ્ટ (૯૯૦૯૯૫૮૧૮૮)નો સંપર્ક કરીને નામ નોંધાવવાના રહેશે.

મોરબીમાં રાહતદરે શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ કરાશે
મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી વૈધ સભા, મોરબી સીનીયર સીટીઝન અને મહાવીર સોસાયટી દ્વારા તા. 25 થી રોજ શુદ્ધ ઘી ના અડદિયાનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. અને તેવી માહિતી ડો. બી કે લહેરૂએ આપેલ છે અને તેનો લાભ લેવા માટે ડો. બી કે લહેરૂ (૯૯૧૩૨૨૨૨૮૩), નરભેરામભાઈ ચડાસણીયા (૯૮૨૫૧૫૨૩૧૦), અનિલભાઈ બુદ્ધદેવ (૯૮૨૫૮૨૬૪૧૩),  મહેશભાઈ ભટ્ટ (૯૯૦૯૦૮૧૮૧૨) અને નલીનભાઈ ભટ્ટ (૯૮૨૫૭૫૬૦૩૯)નો સંપર્ક કરવા જણાવ્યું છે.




Latest News