મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાતા મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા કરાઇ આતિશબાજી


SHARE













અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાતા મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા કરાઇ આતિશબાજી

મોરબીના નગરદરવાજા ચોકમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા આતિશબાજી કરીને અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી તેની ઉજવણી કરવામાં આવી હતી અને આ ધર્મ ધ્વજા ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેનું પ્રથમ પગલું છે. તેવું ત્યાં હાજર રહેલા આગેવાનો કહ્યું હતું.

અયોધ્યા ખાતે રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના શિખર ઉપર ધર્મ ધ્વજા તા. 25/11/25 ના રોજ લહેરાવવામાં આવી રહી હતી. આ ધર્મ ધ્વજા ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેનું પ્રથમ પગલું છે. અને રામ મંદિરના 500 વર્ષ જૂના ઇતિહાસ પછી જ્યારે ભવ્ય રામ મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયુ છે અને મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરવામાં આવેલ છે. ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે તા. 26/11 ને બુધવારના રોજ મોરબીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા નગરદરવાજા ચોકમાં એક કલાક સુધી ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ એક મેકના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબીની હિન્દુ ધર્મપ્રેમી જનતા સહિતના લોકો જોડાયા હતા.






Latest News