મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનહરિહર ધામ ખાતે શુક્રવારથી પાંચ દિવસીય વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ: સંતવાણી-ભજન સંધ્યાનું પણ આયોજન


SHARE











મોરબીના ખોખરા હનુમાનહરિહર ધામ ખાતે શુક્રવારથી પાંચ દિવસીય વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ: સંતવાણી-ભજન સંધ્યાનું પણ આયોજન

મોરબીના બેલા ગામ નજીક આવેલ શ્રી ખોખરા હનુમાન મંદિરે મહાયજ્ઞ, સંતવાણી અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે અને જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કર્યો છે.

મોરબીના બેલા ગામ પાસે સદગુરુ પરમાત્મા કેશવાનંદ બાપુના પ્રસાદ સ્વરૂપ, ભજનભૂમિ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે અનંત શ્રીવિભૂષિત માતાજી કનકેશ્વરી દેવીજીની પ્રેરણા અનુસાર માગશર સુદ નોમને શુક્રવારે તા 28/11 થી તા 2/12 સુધી સાધુ સંતો તથા વિદ્વાન આચાર્યોના સાનિધ્યમાં પાંચ દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ તથા સદગુરુ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં તા. 28 થી 2 સુધી ડીસેમ્બર સુધી શ્રી વિષ્ણુ મહાયજ્ઞ, તા. 29 ના રોજ રાત્રે 9:30 કલાકે સંતવાણી, ભજન સંધ્યાનું આયોજન કર્યું છે અને તા. 30 ના રોજ ધર્મસભા, શ્રીનવગ્રહ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ધૂણી સ્થાપના અને તા 2 ડિસેમ્બરે શ્રી વિષ્ણુ મહાયજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવશે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.






Latest News