મોરબીની ઋષિકેશ અને ઓમશાંતિ વિદ્યાલયમાં નશામુક્ત યુવા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીની ઋષિકેશ અને ઓમશાંતિ વિદ્યાલયમાં નશામુક્ત યુવા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો
નશામુક્ત યુવા જાગરણ સપ્તાહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની તથા માતૃશકિત મોરબી જિલ્લા દ્વારા બે સ્થનો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની ઋષિકેશ વિદ્યાલય ખાતે દુર્ગાવાહીની અને માતૃશકિત દ્વારા યોજાયેલ કાર્યક્ર્મમાં 75 વિધાર્થીઓ હાજર રહ્યા હતા તો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે દુર્ગાવાહીની અને માતૃશકિત દ્વારા યોજાયેલ કાર્યક્ર્મમાં 150 જેટલી વિધાર્થીઓ હાજર હતા અને તેઓને વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહીની મોરબી પ્રખંડના સંયોજિકા દેવાંગીબેન વ્યાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા માતૃશક્તિ સંયોજીકા મિતલબેન પરેચા, મોરબી નગર પ્રખંડ દુર્ગાવાહિની સહસંયોજિકા માયાબેન વાઘાણી તેમજ બંને વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ સહિત તમામ ઉપસ્થિત રહીને નશામુકતી અને સ્વદેશી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.