મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ


SHARE







મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ

મોરબીના જુદા જુદા વિસ્તારોમાં રોડ ઉપર પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા હતા તે સ્પીડ બ્રેકર તો તૂટી ગયા છે પરંતુ તેને લગાવવા માટે રોડમાં જે ખિલ્લા ધરબવામાં આવ્યા હતા તે હજુ પણ રોડ ઉપર જ છે જેથી લોકોના વાહનના ટાયરમાં નુકસાન થાય છે માટે તેને દુર કરવાની તેમજ લાલબાગ નજીક જે લારી અને ગલ્લાના દબાણો અગાઉ દૂર કર્યા હતા તે પાછા ગોઠવાઈ ગયા છે તેને હટાવવામાં આવે અને જો કોઈને લારી ગલ્લા માટેની મંજૂરી આપવામાં આવી હતી તો તેને રદ કરીને ફૂટપાથ લોકોને ચાલવા માટે ખુલી કરવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠાના પૂર્વ સલાહકાર પી.પી જોશીએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરે છે જેમાં જણાવ્યું છે કે મોરબીમાં મુખ્ય માર્ગો પર પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર ફિટ કરવામાં આવ્યા હતા અને તેને લગાવવા માટે ખિલ્લા ધરબવામાં આવ્યા હતા જો કે, અમુક જગ્યાએ સ્પીડ બ્રેકર તૂટી ગયા છે પરંતુ લોકોના વાહનમાં નુકશાન કરે તે રીતે હજુ પણ રોડ ઉપર ખિલ્લા લાગેલા છે જેથી આવા ખીલલાઓને દૂર કરવામાં આવે અને જયાં જરૂર હોય ત્યાં નિયમ મુજબના ડામર અથવા સિમેન્ટના સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મોરબીમાં લાલબાગ પાસે નાસ્તાની લારી કેબીનો હતી તેને અગાઉ હટાવવામાં આવી હતી તેમ છતાં પણ ફરી પાછી ત્યાં દબાણ થઈ ગયા છે અને જો મહાપાલિકા દ્વારા લારી કે કેબીનો રાખવા માટેની મંજૂરી આપવામાં આવી હોય તો તેને રદ કરીને ત્યાંથી તમામ પ્રકારના દબાણો દૂર કરીને લોકોને ચાલવા માટે ફૂટપાથ ખુલ્લી કરાવવામાં આવે અને ટ્રાફિક માટે રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે લોકોને ચાલવા માટે ફૂટપાથ ખુલી રાખવા માટે થઈને સુપ્રીમ કોર્ટનો પણ હુકમ છે ત્યારે લોકો ફૂટપાથ ઉપર ચાલી શકે અને રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનું ટ્રાફિક ન થાય તે માટે લાલબાગ પાસેથી લારી ગલ્લાના દબાણને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News