માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી


SHARE







મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરાઇ હતી ત્યારે ડૉ.નાજાભાઈ કોડીયાતરે સૂર્યકૂકર દ્વારા ઉર્જા બચાવવાના, પેટ્રોલ-ડીઝલ બચાવવાના, વીજળી અને વૃક્ષોને બચાવવાના ઉપાયો દ્રષ્ટાંતો આપીને સમજાવીને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. તો ઇનોવેશન ક્લબના કોર્ડીનેટર ડૉ. અનિલસિંહ રાજપૂતે પણ ઉર્જાને કઈ રીતે સુરક્ષિત કરવી, તેમજ પ્રાપ્ય ઉર્જા અને અપ્રાપ્ય ઉર્જાની જાળવણી કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી આપી હતી. કેસીજી અંતર્ગત ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામના કોર્ડીનેટર ડૉ. અતુલભાઇ ધ્રુવે ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી આ પ્રોગ્રામમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનીત કર્યા હતા અને આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાએ પણ વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ તેમજ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની સમજૂતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.






Latest News