મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામેથી બીમાર માતાને સારવાર માટે લઈ જતાં યુવાન ઉપર ભાઈ, ભાભી અને બે ભત્રીજાઓએ કર્યો છરી વડે હુમલો: વૃદ્ધ સહિત ત્રણને ઇજા


SHARE











માળીયા (મી)ના કાજરડા ગામેથી બીમાર માતાને સારવાર માટે લઈ જતાં યુવાન ઉપર ભાઈ, ભાભી અને બે ભત્રીજાઓએ કર્યો છરી વડે હુમલો: વૃદ્ધ સહિત ત્રણને ઇજા

માળીયા (મી)ના કાજરડા ગામે રહેતી બીમાર માતાને સારવાર માટે યુવાન લઈને જઈ રહ્યો હતો દરમિયાન તેના મોટા ભાઈને બે દીકરાઓએ છરી વડે યુવાન ઉપર હુમલો કરીને તેને છરીના ઘા માર્યા હતા તેમજ યુવાનના બીજા ભત્રીજાના એક દીકરા અને યુવાનની માતાને માર માર્યો હતો જેથી તે ત્રણેયને સારવાર માટે તાત્કાલિક મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે યુવાનને રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા રહેમતબેન જુસબભાઈ બાબરીયા (75) નામના વૃદ્ધા બીમારા હતા જેથી ધાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતો તેનો દીકરો હસનભાઈ જુમાભાઇ બાબરીયા (40) તેઓને દવાખાને લઈ જવા માટે થઈને કાજરડા ગામે આવ્યો હતો અને ત્યાંથી તે પોતાની માતાને સારવાર માટે લઈને જઈ રહ્યા હતા દરમિયાન હસનભાઈના ભત્રીજા સુલેમાન દોસમામદ બાબરીયાએ છરી વડે હુમલો કરીને હસનભાઈને પડખા, હાથ અને શરીરે છરીના ઘા માર્યા હતા. ત્યારબાદ જાનમામદ દોસમામદ ત્યાં આવ્યો હતો અને તેણે પણ હસનભાઈને માર માર્યો હતો ત્યારે તેને વચ્ચે બચાવવા માટે પડેલ હસનભાઈના બીજા ભાઈ અલાઉદ્દીન ભાઈના દિકરા અસગર બાબરીયાને પણ માર મારીને ઇજા કરી હતી તેમજ બીમાર માતા રહેમતબેનને પણ માર મારીને ઈજા કરી હતી જેથી તે ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ મોરબી લઈને આવ્યા હતા અને ત્યારબાદ હસનભાઈ બાબરીયાને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે

હાલમાં મારામારીના આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત હસનભાઈ બાબરિયાના ભત્રીજા મુસ્તાક અલાઉદીન બાબરીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના દાદી રહેમતબેન બીમાર હોય તેમને સારવાર માટે તેના કાક હસનભાઈ લઈ જઈ રહ્યા હતા દરમિયાન તેના મોટા બાપુ દોસમામદભાઈ બાબરીયા તથા તેના બે દીકરા સુલેમાનભાઈ અને જાનમામદ અને તેના પત્ની તારબાય દોસમામદભાઈએ હુમલો કર્યો હતો અને હસનભાઈ, અસગરભાઈ તથા રહેમતબેનને માર મારીને ઈજા કરી છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે,






Latest News