મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો સેશન્સ કોર્ટમાંથી જમીન ઉપર છુટકારો


SHARE







મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો સેશન્સ કોર્ટમાંથી જમીન ઉપર છુટકારો

મોરબીમાંથી ૨ કીલો ૨૩૦ ગ્રામ ગાંજા સાથે એક આરોપી પકડાયો હતો જેથી પોલીસે એનડીપીએસનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ આરોપીએ રેગ્યુલર જમીન મેળવવા માટે તેના વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપીની જમીન અરજી મંજૂર કરતાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૨ કીલો ૨૩૦ ગ્રામ વનસ્પતી જન્ય ગાંજા સાથે આરોપી આરીફ યાકુબભાઈ કચ્છી રહે. ખાટકીવાસ મોરબીને ઝડપી લીધેલ હતી અને તેની સામે એ ડિવિઝનમાં એનડીપીએસ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો. અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીએ રેગ્યુલર જામીન માટે તેના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત અરજી દાખલ કરેલ હતી અને મોરબીના સેસન્સ જજ કે.આર. પંડયા સાહેબે સમક્ષ આરોપીના વકીલ મનીષ પી. ઓઝાએ કરેલ દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપી આરીફ યાકુબભાઈ કચ્છીના ૨૫,૦૦૦ ના જમીન મંજૂર કરેલ છે. આ કેસમાં મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા.






Latest News