મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો સેશન્સ કોર્ટમાંથી જમીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો સેશન્સ કોર્ટમાંથી જમીન ઉપર છુટકારો

મોરબીમાંથી ૨ કીલો ૨૩૦ ગ્રામ ગાંજા સાથે એક આરોપી પકડાયો હતો જેથી પોલીસે એનડીપીએસનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ આરોપીએ રેગ્યુલર જમીન મેળવવા માટે તેના વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપીની જમીન અરજી મંજૂર કરતાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૨ કીલો ૨૩૦ ગ્રામ વનસ્પતી જન્ય ગાંજા સાથે આરોપી આરીફ યાકુબભાઈ કચ્છી રહે. ખાટકીવાસ મોરબીને ઝડપી લીધેલ હતી અને તેની સામે એ ડિવિઝનમાં એનડીપીએસ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો. અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીએ રેગ્યુલર જામીન માટે તેના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત અરજી દાખલ કરેલ હતી અને મોરબીના સેસન્સ જજ કે.આર. પંડયા સાહેબે સમક્ષ આરોપીના વકીલ મનીષ પી. ઓઝાએ કરેલ દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપી આરીફ યાકુબભાઈ કચ્છીના ૨૫,૦૦૦ ના જમીન મંજૂર કરેલ છે. આ કેસમાં મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા.






Latest News