શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં રહેતા રેલ્વે કર્મચારીનું હાર્ટ એટેકથી મોત


SHARE











મોરબીના લાયન્સનગરમાં રહેતા રેલ્વે કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા યુવાનનું ઘરે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યાવહી કરવામાં આવેલ છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ વાલાભાઈ ચાવડા (35) નામનો યુવાન પોતે પોતાને ઘરે હતો ત્યારે કોઈ પણ કારણોસર તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને ગૌતમભાઈ ચાવડા પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની તપાસ કરી રહેલા સતિશભાઈ ગરચર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ગોવિંદભાઈ વાલાભાઈ ચાવડા સાંતલપુર ખાતે રેલ્વેમાં નોકરી કરતાં હતા અને તેઓ મોરબી આવ્યા હતા દરમ્યાન તેનું તેના ઘરે મોત નીપજયું છે અને આ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજયું હોવાનું હાલમાં ડોક્ટરે જણાવ્યુ છે જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News