માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં ૨.૪૭ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ચેરીટી ભવનનું કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે કરાયું લોકાર્પણ


SHARE







મોરબીમાં ૨.૪૭ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ચેરીટી ભવનનું કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે કરાયું લોકાર્પણ

મોરબીમાં શનાળા ગામ પાસે રાજકોટ રોડ ઉપર ૨.૪૭ કરોડના ખર્ચ જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત ચેરીટી ભવનનું  ગુજરાતના કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે શ્રમ, રોજગાર તથા કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા પણ હજાર રહ્યા હતા અને જિલ્લામ દરેક ટ્રસ્ટને ૧૦૦-૧૦૦ વૃક્ષનું વાવેતર કરવા માટેનું આગેવાનોએ આહ્વાન કર્યું હતું.

મોરબીમાં નવનિર્મિત ચેરીટી ભવનનું  લોકાર્પણ કર્યા બાદ મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, સરકારના જન સુખાકારીના વિઝન સાથે કામ કરી રહી છે અને સરકારી કચેરીમાં કામથી આવતી દરેક વ્યક્તિ હસતા ચહેરે પાછી જાય એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર ગણાતા મોરબી જિલ્લામાં ૪.૫ હજારથી વધુ ટ્રસ્ટ આવેલ છે જે ગર્વની વાત છે, ત્યારે આ તમામ ટ્રસ્ટ ૧૦૦-૧૦૦ વૃક્ષ વાવે અને તેનું જતન કરે તેવો તેમણે અનુરોધ પણ કર્યો હતો.

તો મંત્રી કાંતિલાલ અમૃતિયાએ કહ્યું હતું કે, મોરબીમાં પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ મોરબીમાં ૧૦ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે અને હજુ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે સમયની માંગ છે. અને જીલ્લામાં તમામ ટ્રસ્ટ નિષ્ઠાવાન બની કામગીરી કરે તેવો અનુરોધ કર્યો હતો. જયારે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ સરકારની કલ્યાણ રાજની ભાવનાને હેતુસભર બનાવવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ માટેનું આ ભવન મહત્વનું બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે નવા ટ્રસ્ટને ટ્રસ્ટ નોંધણી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેજીભાઈ ચાવડા, કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ, કલેકટર કે.બી.ઝવેરી, અમદાવાદ સંયુક્ત ચેરિટી કમિશ્નર યોગીની સિમ્પી, રાજકોટ સંયુક્ત ચેરિટી કમિશ્નર ચિરાગ જોશી સહિતના હાજર રહ્યા હતા.






Latest News