પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપનો ભવ્ય વિજય થતાં મોરબી જિલ્લા આપ દ્વારા કરાઇ ઉજવણી
મોરબી સાર્થક વિદ્યામંદિરમાં 25 ડિસેમ્બરે સાર્થક તુલસી દિવસ ઉજવાશે
SHARE
મોરબી સાર્થક વિદ્યામંદિરમાં 25 ડિસેમ્બરે સાર્થક તુલસી દિવસ ઉજવાશે
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે છેલ્લા નવ વર્ષથી સાર્થક તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી તા. 25 ડિસેમ્બરના રોજ સાર્થક વિદ્યામંદિર દ્વારા 10 મો સાર્થક તુલસી દિવસ ઉજવવામાં આવશે. તેની સાથે જુદાજુદા કાર્યક્રમ પણ યોજાશે.
મોરબીમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ખાતે તા. 25 ડિસેમ્બરે સવારે 8 થી 1 વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરાશે. ત્યારે તુલસી પૂજન, તુલસી પ્રદર્શની અને તુલસી રોપા તેમજ માંજર વિતરણ, મહા યજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ/ સંસ્થાઓનું સન્માન, વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહતદરે વેચાણ, શાળામાં ચાલતા કંઠસ્થીકરણ પ્રકલ્પની 5 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શિક્ષણ અને સમાજ જાગૃતિ માટેની 3 કૃતિઓ આચાર્ય (શિક્ષકો) દ્વારા રજૂ કરવામાં આવશે. તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ છે. વધુમાં જણાવ્યુ છેકે, સાર્થક તુલસી દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી તે શાળાના વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને ઘણી શાળામાં હવે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.